Ghulam Nabi Azad Emotional Video: રાજ્યસભામાં આજે ગુલામ નબી આઝાદનો છેલ્લો દિવસ હતો. ગુલામ નબી આઝાદને વિદાય આપતા પીએમ નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા. પીએમ મોદીએ એ ઘટનાને યાદ કરી જ્યારે ગુજરાતના મુસાફરો પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. તે સમયે ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા. આ હુમલામાં 4 લોકો માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. પીએમ મોદીએ કહ્યું કે તે વખતે સૌથી પહેલા ગુલામ નબી આઝાદજીનો મને ફોન આવ્યો, તે ફોન ફક્ત સૂચના આપવા માટે નહતો. તેમના આંસૂ અટકતા નહતા. તેઓ ખુબ ભાવુક હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલામ નબી આઝાદનો તે હુમલા બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો કાશ્મીરમાં ગુજરાતના લોકો પર આતંકી હુમલો થયા બાદ 30 જુલાઈ 2007નો છે.  જેમાં ગુલામ નબી આઝાદ હુમલાના પીડિતો અને તેમના પરિવારનો મળતા જોવા મળી રહ્યા છે. તેમણે એક બાળકીને ગોદમાં લીધી છે. ત્યારબાદ ગુલામ નબી આઝાદ ભાવુક થઈ ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે ગુલામ નબી આઝાદની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે. તેઓ પીડિતોને મળીને રડી પડ્યા. આ વીડિયોમાં હુમલાની પીડિત મહિલાઓ પણ રડી રહી છે. ખુબ જ ભાવુક માહોલ વચ્ચે આ વીડિયોમાં ગુલામ નબી આઝાદ પણ પોતાના રૂમાલથી આંસુ લૂંછતા જોવા મળી રહ્યા છે. 


પોતાના વિદાય ભાષણમાં આઝાદે અનેક વાતો કરી. જે સરકારો, દેશ અને સંસદ અંગે હતી. આ સાથે જ તેમણે કહ્યું કે તેમને ભારતીય મુસલમાન હોવા પર ગર્વ છે. તેમણે કહ્યું કે હું એક એવો ભાગ્યશાળી ભારતીય મુસલમાનોમાંથી એક છું જે ક્યારેય પાકિસ્તાન ગયો નથી. 


Rajya Sabha માં PM મોદીના છલકાયા આંસુ, તો કોંગ્રેસ નેતા પણ રડી પડ્યા, જાણો શું કહ્યું? 


પીએમ મોદી થઈ ગયા હતા ભાવુક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ફરી એકવાર રાજ્યસભા (Rajya Sabha) ને સંબોધન કર્યું. કોંગ્રેસ (Congress) ના ગુલામ નબી આઝાદ સહિત 4 સાંસદોની આજે સદનમાંથી વિદાય થઈ રહી છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદના ખુબ વખાણ કર્યા. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયેલા જોવા મળ્યા. એક આતંકી ઘટના બાદ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર થયેલી વાતનો ઉલ્લેખ કરતા તેઓ ભાવુક થઈ ગયા. 


ગુજરાતી મુસાફરો પર થયો હતો આતંકી હુમલો
ગુલામ નબી આઝાદ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ગુલામ નબી આઝાદ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હું પણ એક રાજ્યનો મુખ્યમંત્રી હતો. અમારી ખુબ ગાઢ નીકટતા રહી. એકવાર ગુજરાતના કેટલાક મુસાફરો પર આતંકીઓએ હુમલો કર્યો, 8 લોકો માર્યા ગયા. સૌથી પહેલા ગુલામ નબી આઝાદજીનો મને ફોન આવ્યો હતો. તેમના આંસૂ અટકતા નહતા. પીએમ મોદીએ જણાવ્યું કે તે સમયે પ્રણવ મુખરજી રક્ષામંત્રી હતા, તો તેમની ફૌજના હવાઈ જહાજની વ્યવસ્થાની માગણી કરી. તે વખતે એરપોર્ટથી જ ગુલામનબી આઝાદે ફોન કર્યો. જે રીતે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરવામાં આવે છે તેવી જ આઝાદજીએ તેમની ચિંતા કરી. 


રાજ્યસભામાં અચાનક ભાવુક થઈ ગયા PM મોદી, કોંગ્રેસના દિગ્ગજ નેતાના કર્યા વખાણ


ગુલામ નબીજીનો આદર કરું છું-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે સત્તા જીવનમાં આવતી જતી રહે છે, તેને કેવી રીતે પચાવવી તે ગુલામ નબી આઝાદજી પાસેથી શીખવા મળે છે. પીએમ મોદીએ જણાવ્યું કે એક મિત્ર તરીકે હું આઝાદજીનો ખુબ આદર કરું છું. પીએમ મોદીએ કહ્યું કે મને ચિંતા એ વાતની છે કે ગુલામ નબીજી બાદ જે પણ આ પદ સંભાળશે તેમને ગુલામ નબીજી સાથે મેચ કરવામાં ખુબ મુશ્કેલી પડશે. કારણ કે ગુલામ નબીજી પોતાના પક્ષની ચિંતા કરતા હતા, પરંતુ દેશ અને સદનની પણ એટલી જ ચિંતા કરતા હતા. જ્યારે હું ચૂંટણી રાજકારણમાં આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું લોબીમાં વાત કરતા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube