1. કોરોના સંકટના કારણે દર્શકોની સંખ્યામાં મોટો ઘટાડો થશે
2. 50 વર્ષ પછી પહેલીવાર કોઈ મુખ્ય અતિથિ નહીં હોય
3. ફ્રાંસ, યુએઈ અને હવે બાંગ્લાદેશની સૈન્ય ટુકડી પરેડમાં ભાગ લેશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લી: રિપબ્લિક ડે 2021: ભારત આ વર્ષે પોતાનો 72મો ગણતંત્ર દિવસ (Republic Day 2021) ઉજવશે. આ ઐતિહાસિક પ્રસંગે રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડનું આયોજન થાય છે. તેમાં ભારતીય સેનાના જવાનો અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝાંખી અને પરેડ થાય છે. આ જીવંત ઘટનાને નિહાળવા માટે લગભગ 1 લાખથી વધારે લોકો આવે છે પરંતુ આ વર્ષે મહામારીના (corona virus) કારણે તેમાં ઘણું પરિવર્તન જોવા મળશે.


ગણતંત્ર દિવસ 2021 માટે મુખ્ય અતિથિ:
ગણતંત્ર દિવસ 2021ના (Republic day 2021) પ્રસંગે દાયકાઓ પછી પહેલીવાર એવું બનશે જ્યારે કોઈ ચીફ ગેસ્ટ નહીં હોય. શરૂઆતમાં બ્રિટીશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનના કારણે તેમણે પોતાની યાત્રાને રદ કરવી પડી. આ પહેલાં ભારતમાં 1952,1953 અને 1966માં પરેડમાં કોઈ મુખ્ય અતિથિ ન હતું.


ધ્વજારોહણ અને ગણતંત્ર દિવસ પરેડનો સમય:
ધ્વજારોહણનો કાર્યક્રમ 26 જાન્યુઆરી મંગળવારે સવારે 8 કલાકે થશે. ત્યારબાદ પરેડનું આયોજન થશે.


આ પણ વાંચોઃ Republic Day parade 2021: ગણતંત્ર પર ભારત કરશે શક્તિ પ્રદર્શન, આ વર્ષે પરેડમાં સામેલ થશે રાફેલ


કેટલાં લોકોને હાજર રહેવાની છે અનુમતિ:
2020માં 1 લાખ 50 હજારની સરખામણીએ આ વર્ષે ગણતંત્ર દિવસે માત્ર 25,000 લોકો જ હશે. જ્યારે મીડિયા પ્રતિનિધિઓની સંખ્યાને 300થી ઘટાડીને 200 સુધી કરવામાં આવી છે. તેની સાથે જ 15 વર્ષથી ઓછા બાળકોને હાજર રહેવાની પરમિશન આપવામાં આવશે નહીં.


ગણતંત્ર દિવસ પરેડમાં કોણ કરશે પરફોર્મ:
ગણતંત્ર દિવસ પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થઈને ઈન્ડિયા ગેટ પર ખતમ થશે. તેના પછી માર્ગ વિજય ચોકથી રાજપથ, અમર જવાન જ્યોતિ, ઈન્ડિયા ગેટ પ્રિન્સેસ પેલેસ, તિલક માર્ગ થઈને છેલ્લે ઈન્ડિયા ગેટ સુધી જશે.


રાજપથ પર પ્રદર્શનમાં શું જોવા મળશે:
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ફ્રાંસથી ખરીદવામાં આવેલા અને ભારતીય વાયુસેનામાં સામેલ કરાયેલા રાફેલ યુદ્ધ વિમાન જેટ પરેડમાં ભાગ લેશે. આ વખતે વાયુસેનાએ ફ્રાંસથી ઓર્ડર કરવામાં આવેલ 36 રાફેલ જેટમાંથી 11ને સામેલ કરવામાં આવી છે. ભારતની પહેલી મહિલા ફાઈટર પાયલટમાંથી એક ફ્લાઈટ લેફ્ટનન્ટ ભાવના કંઠ IAFની ઝાંખીનો ભાગ બનશે. જે હળવા યુદ્ધ વિમાન, હળવા યુ્દ્ધ હેલિકોપ્ટર અને સુખોઈ-30 યુદ્ધ વિમાનોના મોક-અપનું પ્રદર્શન કરશે.


આ પણ વાંચોઃ કોરોનાને કારણે Republic Day પરેડમાં મોટો ફેરફાર, આ વખતે વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી જશે પરેડ


આ વર્ષે મોટરસાઈકલ સ્ટંટ નહીં થાય:
કોવિડ-19 ગાઈડલાઈનના કારણે મોટરસાઈકલથી થતાં સ્ટંટ જે રાજપથ પર એકત્ર થતાં લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. જે આ વર્ષે જોવા મળશે નહીં. આ સિવાય વીરતા પુરસ્કારોની પરેડ અને બહાદુરી પુરસ્કાર હાંસલ કરનારા બાળકો પણ સમારોહમાં હાજર રહેશે નહીં.


બાંગ્લાદેશ સેનાની ટુકડી ભાગ લેશે:
આ વર્ષે પાડોશી દેશ બાંગ્લાદેશ સેનાનું એક સૈન્ય બેન્ડ પરેડમાં ભાગ લેશે. આ વર્ષે જ બાંગ્લાદેશે પોતાની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ ઉજવી છે. આ પરેડમાં બાંગ્લાદેશના 122 સૈનિકો સામેલ થશે. 2016માં ફ્રાંસ અને 2017માં યૂઈએ રિપબ્લિકન ડે પરેડમાં ભાગ લેનારા પહેલા બે વિદેશી દેશ છે.


આ પણ વાંચોઃ આપણા બધાનું લક્ષ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે, દિલ્હી આવેલા કલાકારોને બોલ્યા PM Modi


ઝાંખીમાં શું-શું જોવા મળશે:
ઉત્તર પ્રદેશની ઝાંખીમાં રામ મંદિરની પ્રતિકૃતિ જોવા મળશે. આ સિવાય સંસ્કૃતિ મંત્રાલય, ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલય અને આઈટી, આયુષ મંત્રાલય, રક્ષા વિભાગની ઝાંખી નીકળશે. ડીબીટીની ઝાંખી સ્વદેશી રીતે કોવિડ-19 વેક્સીનના નિર્માણ માટે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પ્રદર્શિત કરશે.


સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સ- માસ્કનું પાલન થશે:
ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. તેના માટે મહેમાનોની સાથે જ દર્શકોને બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓ માટે વિશેષ પ્રકારે પીપીઈ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. તે પીપીઈ કિટ પહેરીને મહેમાનોની સુરક્ષાનું ધ્યાન રાખશે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube