નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના કેસમાં ડ્રગ્સ એંગલને લઇને ધરપકડ કરવામાં આવેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને કોર્ટમાંથી રાહત ન મળી. શુક્રવારે તેમની જામીન અરજી નકારી કાઢવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો જ્યારે જામીન અરજી નકારવાના સમાચાર ભાયકુલા જેમાં રિયા પાસે પહોંચ્યા તો રડી પડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં છે રિયા
રિયાને નેશનલ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ડ્રગ્સના ઉપયોગના મામલે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે તેને 14 દિવસ માટે 22 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી દીધો હતો. તે હાલ ભાયકુલા જેલમાં છે. રિયાના વકીલ સતીશ માનશિંદેએ બુધવારે રિયાની જામીન અરજી લગાવી હતી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
 
અત્યારે ક્યાં સુધી જેલમાં રહેવું પડશે રિયાને?
તમને જણાવી દઇએ, કે રિયા ચક્રવર્તીને હવે ઓછામાં ઓછા રવિવાર સુધી જેલમાં રહેવું પડશે. જો રુયા દ્વારા અર્જન્ટ સુનાવણી માટે હાઇકોર્ટમાં જામીન અરજી મંજૂર થાય છે, તો પણ સોમવારે જ સુનાવણી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે રિયા પહેલાં જ બે રાત જેલમાં પસાર કરી ચૂકી છે. 


સુશાંતના મોત સાથે જોડાયેલા મામલામાં મંગળવારે રાત્રે રિયાની એસડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રિયાને 22 સપ્ટેમ્બર સુધી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે. મંગળવારે મુંબઈની એક મેજિસ્ટ્રેટ અદાલથી જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ રિયાએ બુધવારે પોતાના વકીલના માધ્યમથી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. રિયાએ પોતાની જામીન અરજીમાં આરોપ લગાવ્યો કે, એનસીબી દ્વારા પૂછપરછ દરમિયાન તેમને નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવી. રિયાએ દાવો પણ કર્યો કે, તેમણે કોઈ અપરાધ નથી કર્યો અને આ મામલામાં ફસાવવામાં આવી રહ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube