ચમોલી: જોશીમઠ પાસે આવેલા રૈણી ગામ (Raini Village) માં આજે ભારે તબાહી મચી, ગ્લેશિયર તૂટવાના કારણે અનેક ગામડા ભીષણ સંકટમાં છે અને આ ભયાનક દુર્ઘટનાને જોતા કેદારનાથ ત્રાસદી પણ સતત ધ્યાનમાં આવી રહી છે. જેનું એક કારણ એ છે કે એકવાર પ્રકૃતિના થપાટ ખાધા પછી પણ આપણે સુધર્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાત એટલા માટે યાદ આવે છે કારણ કે આજે ચમોલી ઉત્તરાખંડના વિસ્તારમાં જે તબાહી જોવા મળી છે તેનો ડર તે સમયથી હતો જ્યારે Rishiganga Power Project બનવાનો શરૂ થયો હતો. આ પાવર પ્રોજેક્ટ રૈણી ગામ (Raini Village) માં છે. મગજ પર થોડો ભાર આપીએ તો રૈણી ગામનું નામ સાંભળતા જ ગૌરા દેવીની યાદ આવે છે. એ જ ગૌરા દેવી જે ચિપકો આંદોલનના પ્રણેતા તરીકે ઓળખાય છે. 


Uttarakhand: જોશીમઠમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 150 મજૂરો ગુમ, પાવર પ્રોજેક્ટનો ખુડદો બોલાયો


ગ્રામીણોએ લગાવ્યા મોટા આરોપ
વર્ષ 2019ના મે મહિનામાં ઉત્તરાખંડ હાઈકોર્ટમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ વિરુદ્ધ રૈણી ગામના લોકો પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે Rishi Ganga Power Project ની કંપની ગ્રામીણોને કરેલા પોતાના વચનોથી ફરી ગઈ છે અને સાથે સાથે કંપનીના લાભ માટે પર્યાવરણ સાથે મોટા પાયે રમત કરી રહી છે. 


તેમણે આરોપ લગાવ્યો કે કંપની પર્યાવરણ માપદંડોને બાજુમાં ધકેલીને નદી તટ પર વિસ્ફોટકોથી પથ્થર તોડી રહી છે. આ સાથે જ આંદોલનના પ્રણેતા ગૌરાદેવી તથા સાથીઓના જંગલમાં પ્રવેશ કરવા માટે બનાવવામાં આવેલા ઐતિહાસિક માર્ગને પણ બંધ કરી દીધો છે. ત્યારે આ અરજી પર કડકાઈ દર્શાવતા હાઈકોર્ટે તેને કંપની તરફથી કરાયેલી અંધરગર્દી ગણાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટે આ મામલે કેન્દ્ર તથા રાજ્ય સરકારને જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube