નવી દિલ્હી: એક વર્ષની અંદર જ કોરોનાની રસી આપણા દેશમાં તૈયાર થવા જઈ રહી છે. આવામાં અનેક આશંકાઓ પણ જન્મ લઈ રહી છે. મંગળવારે સરકાર તરફથી એ મુદ્દે પણ સ્પષ્ટતા કરવામાં આવી કે રસીના પ્રતિકૂળ પ્રભાવની સંભાવનાથી ઈન્કાર કરી શકાય નહીં. કોરોના રસીકરણ બાદ તેના પ્રતિકૂળ પ્રભાવો અને ઘટનાઓ સામે આવવા અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ચેતવણી આપતા કહ્યું કે આ પ્રકારનો પ્રતિકૂળ પ્રભાવ મુખ્ય રીતે રસીકરણ બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં જોવા મળ્યો છે. આવામાં કોવિડ-19 રસીકરણ શરૂ થયા બાદ પ્રતિકૂળ ઘટનાઓની સંભાવનાઓથી ઈન્કાર કરી શકાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona vaccination: દેશમાં કોરોના રસીકરણ માટે કેવી છે તૈયારીઓ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ


રસીકરણ અભિયાન શરૂ થતા પહેલા જ મોટો ખુલાસો
દેશમાં બહુ જલદી કોરોના રસીકરણ અભિયાન મોટા પાયે શરૂ થવાનું છે. આ બધા વચ્ચે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના એક નિવેદને એક આશંકા પેદા કરી છે જેના કારણે લોકોમાં રસી માટે ખચકાટ પેદા થઈ શકે છે. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે જ્યારે મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવે તો કેટલાક લોકોમાં તેની ઉલ્ટી અસર પણ જોવા મળી શકે છે. 


Corona Vaccine: કોરોના રસીકરણ પર સરકારની ગાઇડલાઇન જાહેર, જાણો AtoZ માહિતી


'રસીથી નુકસાનની આશંકા ફગાવી શકાય નહીં'
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે "રસીકરણ બાદ કેટલીક ગડબડીઓ સામે આવવી એક ચિંતાજનક વિષય છે. જ્યારે આપણે વ્યાપક રસીકરણ અભિયાન કાર્યક્રમ ચલાવીએ છીએ જે દાયકાઓથી ચાલતું આવ્યું છે, તો રસી લગાવ્યા બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં કેટલાક ઉલ્ટા પ્રભાવ જોવા મળી જાય છે." તેમણે વધુમાં કહ્યું કે આથી આપણે કોવિડ 19 વિરુદ્ધ રસીકરણ શરૂ થવા પર કેટલીક વિપરિત અસરની આશંકાઓને ફગાવી શકીએ નહીં. જે દેશોમાં રસીકરણ શરૂ થઈ ગયુ છે, ખાસ કરીને યુકેમાં, ત્યાં પહેલા દિવસે જ ગડબડી સામે આવી. આથી જરૂરી છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તે માટે પણ તૈયાર રહે. 


Coronavirus: કોરોના વેક્સીન લગાવ્યા પછી થઇ શકે છે આ 5 સાઇડ ઇફેક્ટ, ડોક્ટર્સ કરી રહ્યા છે એલર્ટ


વધુ એક રસીને ટ્રાયલની મંજૂરી, હવે રેસમાં ત્રણ સ્વદેશી વેક્સિન
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કોવિડ વેક્સિનની આપાત મંજૂરી અને તેના વિતરણની તૈયારી વિશે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી હતી. ડો. વીકે પોલે કહ્યુ કે, આ સપ્તાહે ડ્ર્ગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DRI)એ ભારતમાં વધુ એક કંપનીને રસીની ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. જેનોઆ કંપનીએ ભારત સરકારના અનુસંધાન એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીની મદદથી એક વેક્સિન વિકતિત કરી છે. તેમાં ઉપયોગ થનારી ટેકનીક ફાઇઝર વેક્સિન જેવી છે. આ સમયે દેશમાં કુલ છ વેક્સિન ક્લીનિકલ ટ્રાયલના સ્ટેજમાં છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube