નવી દિલ્હી: ચીન સાથે હિંસક ઝડપમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુ (B Santosh Babu)ના માતાને પોતાના પુત્રની શહાદત પર ગર્વ છે અને આ સાથે તેમને એક વાતનું દુ:ખ પણ છે કે તેમનો એકમાત્ર પુત્ર હવે ક્યારેય પાછો નહીં ફરે. કર્નલની શહાદતની જાણ થતા જ નાલગોન્ડા જિલ્લા (તેલંગણા)ના સૂર્યપેટ શહેરમાં માતમ છવાઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહીદ કર્નલ સંતોષ બાબુના માતા મંજુલાએ કહ્યું કે, 'મને મારા પુત્ર પર ગર્વ છે. જેણે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું પરંતુ એક માતા તરીકે હું આજે દુ:ખી છું.' કર્નલ સંતોષ 18 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતાં અને દોઢ વર્ષથી બોર્ડર પર તૈનાત હતાં. તેઓ પોતાની પાછળ પત્ની સંતોષી, એક 9 વર્ષની પુત્રી અભિનવ અને 4 વર્ષના પુત્ર અનિરૂદ્ધને છોડી ગયા છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube