નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો ( CAA)ને લઈને દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ પર પિસ્તોલ તાકનાર શાહરૂખની મંગળવારે ઉત્તરપ્રદેશના શામલીથી ધરપકડ કરવામાં આવી હતી. શાહરૂખ ઘટના બાદ ફરાર હતો. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શાહરૂખને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં તેને 4 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે દિલ્હી હિંસા દરમિયાન 24 ફેબ્રુઆરીએ જાફરાબાદ વિસ્તાકમાં એક વ્યક્તિએ 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ વ્યક્તિએ ફાયરિંગ દરમિયાન એક પોલીસ કર્મી પર પિસ્તોલ તાકી હતી. ફાયરિંગ કરતા આ વ્યક્તિ ફરી ટોળામાં ગાયબ થઈ ગયો હતો. આ વ્યક્તિની ઓળખ શાહરૂખના રૂપમાં થઈ હતી. શાહરૂખે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર પિસ્તોલ તાકી હતી. દીપક 


જોશમાં આવી ચલાવી ગોળી
ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી અજીત સિંગલાએ કહ્યું કે, શાહરૂખે જે પિસ્તોલથી જાફરાબાદમાં ફાયરિંગ કર્યું હતું, હકીકતમાં તેણે પિસ્તોલ મુંગેરથી ખરીદી હતી. શાહરૂખ પોતાના ઘરમાં જુરાબની ફેક્ટરી ચલાવતો હતો. તેનો એક સાથે તેના ઘરમાં કામ કરતો હતો, શાહરૂખને તેણે પિસ્તોલ આપી હતી. તેમણે કહ્યું કે, શાહરૂખનું કહેવું છે કે જ્યારે પ્રદર્શન ચાલી રહ્યું હતું અને પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે તે જોશમાં આવી ગયો અને પોતાને ગોળી ચલાવવાથી રોકી શક્યો નહીં. 


કોરોનાની અસર, નેવીએ ટાળ્યો મેગા નૌસૈનિક અભ્યાસ 'મિલન 2020'


બીએ સેકન્ડ યર સુધી શાહરૂખે કર્યો હતો અભ્યાસ
પોલીસે કહ્યું કે, શાહરૂખે બેચલર ઓફ ઓર્ટ્સ સેકેન્ડ યર સુધી અભ્યાસ કર્યો છે. પોલીસ હજુ તે નક્કી કરશે કે શાહરૂખ ક્યાં રહ્યો અને કોણે તેની મદદ કરી હતી. જેણે શાહરૂખની મદદ કરી તેની પણ ધરપકડ કરવામાં આવશે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..