મુંબઇ: શિવસેના નેતાઓની બંધ રૂમમાં શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત થઇ. શિવસેનાએ પોતાની ચિંતા તો વ્યક્ત કરી અને સાથે જ ભાજપને સત્તાથી બહાર રાખવા માટે કુરબાની આપવાની પણ ઓફર કરી. શિવસેનાએ પોતાના દ્વારા કહ્યું કે પોતાની પાંચ વર્ષની મુખ્યમંત્રી પદની માંગ છોડવા માટે તૈયાર છે. જો શરદ પવાર (Sharad Pawar) ઇચ્છે અને કોંગ્રેસને મંજૂર હોય તો તેને અજીત પવારને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવા પર કોઇ વાંધો નથી. જો પહેલાં અઢી વર્ષ મુખ્યમંત્રી, શિવસેનાનો હશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામનામાં શિવસેનાનો તીખો હુમલો, અજિત પવારે અંતિમ ક્ષણોમાં તેમનું વસ્ત્રહરણ રોકી લીધું, પરંતુ BJP...


શિકાર 1: શું તેના દ્વારા શરદ પવાર (Sharad Pawar)-અજિત પવાર એક તીર વડે ઘણા શિકાર કરી રહ્યા છે?
અઢી વર્ષ માટે પોતાના પરિવારના CM. ગઠબંધન વચ્ચે વાતચીત દરમિયાન જો સીધે સીધી માંગ કરતા તો કોંગ્રેસ-શિવસેના દ્વારા આનાકાની અને મોડું થતું. સાથે જ એનસીપીમાં અજિત પવારના પ્રતિદ્વંદી પણ શાંત થઇ ગયા. હવે આ બધાની સાથે-સાથે એટલા આગળ નિકળી ગયા છે કે આ મુદ્દે ગઠબંધન તોડવું શિવસેના-કોંગ્રેસ માટે મજાકને પાત્ર બનવા બરાબર હતું. હાથ મિલાવીને શિવસેના-કોંગ્રેસે પોતાની વોટ બેંકનું પહેલાં જ નુકસાન કરી લીધું છે, હવે સત્તાથી દૂર રહેવું પણ મુર્ખામીભર્યું હતું. 

ઉદ્ધવ નહી આ નેતાના હાથમાં હશે મહારાષ્ટ્રની 'કમાન', વાંચો જાણકારો શું કહે છે


શિકાર 2: રાષ્ટ્રપતિ શાસનને તાત્કાલિક દૂર કરવું
જો શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન મળીને દાવો રજૂ કરતું ત્યારે પણ પહેલું કામ રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાનું રહેતું. રાષ્ટ્રપતિ શાસન દૂર કરવું પોતાનામાં એક એવી પ્રક્રિયા છે, જેમાં ભાજપની 'ખુદકિસ્મતી'થી પ્રક્રિયાના નામ રાજ્યપાલ અને કેંદ્વ સરકાર અઠવાડિયાઓ અથવા બે મહિના સુધીનો સમય ખેંચી શકતા હતા. આ લાંબા સમયમાં ભાજપ ઘણા ધારાસભ્યોને પોતાની તરફ કરી શકતી હતી. અશક્યને શક્ય બનાવનાર રાજકીય ઇતિહાસ તાજેતરમાં જોવા મળ્યો છે આ કોઇ અસંભવ કૃત્ય નથી. ભાજપની અસ્રકાર બનતી અને એક્સપ્રેસ ગતિએ કામ થયું. એટલે રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાની અડચણ આપમેળે દૂર થઇ ગઇ. 

શિવસેના ધારાસભ્યોનો દાવો, પહેલાં જ કેબિનેટ બેઠકમાં માફ થશે ખેડૂતોનું દેવું


શિકાર 3: અજિત પવાર હુમલાવર નહી નહી થઇ શકે ભાજપ-શિવસેના
ભાજપે અજિત પવાર પર ભ્રષ્ટાચારના ઘણા બધા આરોપો લગાવ્યા હતા. ભાજપ શિવસેનાની સરકારમાં તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયા હતા. પરંતુ ભાજપ અજિત પવારની સાથે હાથ મિલાવતાં અને ઉપમુખ્યમંત્રી બનાવ્યા બાદ, હવે આગળ ભાજપને અજિત પવારને ભ્રષ્ટાચારી કહીને હુમલો કરવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે. આવી જ સ્થિતિ શિવસેના સાથે થશે જે ક્યારેય અજિત પવારને ભ્રષ્ટાચારી કહી નહી શકે. તેના માટે હવે અજિત પવાર સ્વિકાર યોગ્ય થઇ ગયા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube