પટણા: ભારતીય જનતા પાર્ટીને અલવિદા કરીને પટણા સાહિબથી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી લીધી છે. 24 અકબર રોડ પર તેમને પાર્ટીની સદસ્યતા આપવામાં આવી. શત્રુઘ્ન સિન્હા થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતાં. તે દિવસે તેમણે કહ્યું હતું કે નવરાત્રિ એટલે કે 6 એપ્રિલના રોજ તેઓ કોંગ્રેસમાં સામેલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ફરીથી ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે: PM મોદી


કોંગ્રેસમાં સામેલ થતા પહેલા શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે ભારે મનથી ભાજપ છોડી રહ્યો છું. આ અગાઉ શક્તિસિંહ ગોહિલે પણ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે દિલથી માનું છું કે જે લોકો સત્યમાં વિશ્વાસ રાખનારા અને આત્માના અવાજથી બોલનારા લોકો છે તેઓ ક્યારેય દબાઈ શકે નહીં. શત્રુઘ્ન સિન્હાજીએ પોતે નિર્ણય લીધો છે કે તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈને આવનારા દિવસોમાં પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે મળીને કામ કરશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...