મુંબઈઃ જાણીતા સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ કિસાનોના સમર્થનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પત્ર લખીને કહ્યુ કે, જો કિસાનોના મુદ્દાનો ઉકેલ ન આવ્યો તો કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભૂખ હડતાલ કરશે. તેમણે ચેતવણી આપી કે જો કિસાનોની માંગોને સાંભળવામાં આવશે નહીં તો તે જન આંદોલન કરશે. અન્ના હઝારેએ કહ્યુ કે, તત્કાલીન કોંગ્રેસ સરકારને 'લોકપાલ આંદોલન' દરમિયાન હલાવી દીધી હતી. મેં તે કિસાનોના વિરોધને તે રીતે જોઉ છું. અન્નાએ કહ્યુ કે, કિસાનો દ્વારા કરવામાં આવેલા ભારત બંધ દરમિયાન મેં મારા ગામ રાલેગાંવ સિદ્ધિમાં એક દિવસનો ઉપવાસ કર્યો હતો. કિસાનોની માંગોને મારૂ સંપૂર્ણ સમર્થન છે. અન્નાએ કહ્યુ કે, કોઈ દેશમાં કિસાન વિરુદ્ધ કોઈ કાયદાને સ્વીકારી શકાય નહીં, જે તેની વિરુદ્ધ છે. જો સરકાર તેમ કરે છે તો તેની વિરુદ્ધ આંદોલન યોગ્ય છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube