પ્રણવ પ્રિયદર્શી, નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની ખાસ ટુકડીને 12000 ફૂટ ઊંચાઈવાળા પહાડોથી ઘેરાયેલા અત્યંત દુર્ગમ વિસ્તાર એવા અરુણાચલ પ્રદેશના લીપોમાં મોકલવામાં આવી છે. આ દુર્ગમ વિસ્તારમાં મંગળવારે 9 દિવસ બાદ ભારતીય વાયુસેનાના AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ભાળ મળી. જ્યાંથી વિમાનના કાટમાળના કેટલાક ટુકડા જોવા મળ્યાં. ભારતીય વાયુસેનાના Mi 17 હેલિકોપ્ટરથી ચાલી રહેલી શોધખોળ દરમિયાન આ ટુકડાં જોવા મળ્યાં. અત્રે જણાવવાનું કે આસામના જોરહાટથી 3 જૂનના રોજ આ વિમાને 8 ક્રુ મેમ્બર્સ અને 5 મુસાફરો સાથે અરુણાચલ પ્રદેશના મેચુક માટે ઉડાણ ભરી હતી. ત્યારબાદ વિમાન ગુમ થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુસેનાના ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ મળ્યો, અરુણાચલના લીપોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...