નવી દિલ્હી: દેશમાં હવે કોરોના (Corona Virus) ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ કોરોનાના દર્દીઓની સંખ્યા હાલ 1,12,359 છે જ્યારે 45300 લોકો આ બીમારીમાંથી સાજા થઈને ઘરે ગયા છે. હાલ દેશમાં 63,624 એક્ટિવ કેસ છે. કોવિડ 19 (Covid-19) ના કારણે 3435 લોકોએ જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 5609 નવા કેસ નોંધાયા છે. જ્યારે 132 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર (Maharashtra) માં જોવા મળ્યાં છે. જે પ્રકારે કેસ વધી રહ્યાં છે તે જોતા તો મહારાષ્ટ્રની હાલત વુહાન (Wuhan) જેવી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના અત્યાર સુધીમાં 39,297 કેસ નોંધાયા છે. જ્યારે 1390 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 10,318 લોકો સાજા થયા છે. ત્યારબાદ તામિલનાડુ 13,191 કેસ સાથે બીજા ક્રમે છે. જ્યાં 87 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 5882 લોકો સાજા થયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube