નવી દિલ્હી: ઓડિશાના જગન્નાથ પુરી (Jagannath Temple) રથયાત્રા (Rath Yatra) પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળવાની હતી. લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. યાત્રામાં 10થી 12 લાખ લોકો ભેગા થાય તેવી આશા હતીં. આ કાર્યક્રમ લગભગ 10 દિવસ ચાલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય માટે આ આદેશ જરૂરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI)એ કહ્યું કે, જો અમે આ રથયાત્રા માટે મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. કોરોના મહામારી દરમિયન આ પ્રકારે સમારોહની મંજૂરી આપી શકાય નહીં. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ આદેશ જરૂરી છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube