ઉન્નાવ: યુપીમાં બાગપત બાદ હવે ઉન્નાવ (Unnao) માં પણ લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. આરોપ છે કે પ્રેમ જાળમાં ફસાવીને એક મુસ્લિમ યુવક 16 વર્ષની હિન્દુ કિશોરીને ભગાડી ગયો. આ ઘટના બાદ પરિવાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યો. પરંતુ આરોપ છે કે પોલીસે તેમની ફરિયાદ લેવાની ના પાડી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Updates: આજે ફરીથી મસમોટો રાફડો ફાટ્યો, કુલ કેસ 42 લાખને પાર, 71 હજારથી વધુના મૃત્યુ


કિશોરીની માતાએ આરોપ લગાવ્યો કે તેમની પુત્રી કેટલાક દિવસથી પરેશાન હતી. તેને અનીસ નામનો એક છોકરો પરેશાન કરતો હતો. શનિવારે તે છોકરાએ તેમની પુત્રીને ફોન કરીને બોલાવી અને પછી ગૂમ કરી દીધી. પીડિતાની માતાનો આરોપ છે કે જ્યારે તેઓ બાંગરમઉ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા તો પોલીસે આધાર કાર્ડ ન હોવાના કારણે રિપોર્ટ લખવાની ના પાડી દીધી. 


ત્યારબાદ પરિજનોએ એસપી સાથે મુલાકાત કરીને સમગ્ર ઘટના તેમને જણાવી. ત્યારબાદ એસપીએ આ કેસને ગંભીરતાથી લઈને સંબંધિત પોલીસ સ્ટેશન ઈનચાર્જને ફરિયાદ લેવાનો નિર્દેશ કર્યો. કિશોરીનો હજુ પણ કોઈ અતોપત્તો મળ્યો નથી. જેના કારણે કિશોરીના માતા અને પિતા તથા ભાઈ ચોધાર આંસુએ રડી રહ્યાં છે. 


નવી શિક્ષણ નીતિથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પૂરો થશે: PM મોદી


હિન્દુ જાગરણ મંચના જિલ્લા પ્રભારી મંત્રી વિમલ દ્વિવેદીએ કહ્યું કે લવ જેહાદની આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ યુપીમાં અનેક જગ્યાઓ પર આ પ્રકારના કેસ સામે આવી ચૂક્યા છે. પરંતુ પોલીસ દર વખતે કેસને હળવાશમાં લઈને મામલો પતાવી દે છે. પોલીસ આ કેસમાં કડકાઈ આચરે તો આવી ઘટનાઓ પર રોક લાગી શકે છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube