નવી દિલ્હીઃ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો અને સરકાર વચ્ચે સાતમાં તબક્કાની યોજાયેલી વાતચીતમાં કોઈ પરિણામ નિકળી શક્યું નથી. હવે સરકાર અને કિસાનો વચ્ચે 4 જાન્યુઆરીએ ફરી બેઠક યોજાવાની છે. ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારે કિસાન નેતાઓને કહ્યું કે, ત્રણ કૃષિ કાયદા વિશે કિસાનોની માંગ પર વિચાર કરવા માટે એક સમિતિ બનાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાન-સરકાર વચ્ચે બેઠક સમાપ્ત
કિસાન અને સરકાર વચ્ચે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી બેઠક આશરે પાંચ કલાક ચાલી હતી. સરકારે કિસાનોને કહ્યું કે, કાયદો બનાવવા અને પરત લેવાની એક લાંબી પ્રક્રિયા હોય છે. સરકારનો ઈરાદો કાયદો પરત લેવાનો નથી. હવે ફરી ચાર જાન્યુઆરીએ બેઠક યોજાશે. કિસાનો પણ પોતાનું આંદોલન યથાવત રાખશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube