દેહરાદૂનઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે કોરોના મેનેજમેન્ટને લઈને પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. નડ્ડાએ ઉત્તરાખંડના એક કાર્યક્રમમાં પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે, કોરોનાના કાળમાં પીએમે દેશને ફ્રંટથી લીડ કર્યો અને સમય પર લૉકડાઉન કરી કરોડો લોકોના જીવ બચાવ્યા હતા. નડ્ડાએ કહ્યુ કે, કોરોના મિસમેનેજમેન્ટને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા, તો પીએમ મોદીએ દેશને આગળ આવીને સંભાળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડના લોકોને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યુ, 'અમેરિકાની ચૂંટણી કોવિડના મેનેજમેન્ટ અને મિસ મેનેજમેન્ટ પર થઈ ગઈ. ટ્રમ્પે સત્તા ગુમાવવી પડી, કોવિડના મિસ મેનેજમેન્ટને લઈને. આપણા મોદીજીએ દેશને સૌથી આગળ ઉભા રહીને લીડ કર્યો અને સમય પર લૉકડાઉન લગાવ્યું અને 130 કરોડ લોકોના દેશને બચાવી લીધો.આજે પણ અમેરિકા તે નક્કી કરી શક્યું નહીં કે તે ઇકોનોમી કે લોકોના જીવમાંથી કોને પ્રાથમિકતા આપે. પરંતુ આપણા પ્રધાનમંત્રીએ નક્કી કર્યુ કે, જાન હૈ તો જવાન હૈ અને દેશમાં લૉકડાઉન લગાવ્યું. આ એક સામાન્ય નિર્ણય નહતો.'


ભારત બંધ પહેલા કિસાનોની જાહેરાત- હવે અમારા મનની વાત સાંભળે PM મોદી  


ભાજપ કરતું રહ્યું છે મોદીના કોરોના મેનેજમેન્ટની પ્રશંસા
નડ્ડા સહિત ભાજપના તમામ નેતા કોરોનાના મેનેજમેન્ટને લઈને પીએમ મોદીની પ્રશંસા કરતા રહ્યાં છે. 22 માર્ચે જનતા કર્ફ્યૂ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ પ્રતિબંધો વચ્ચે દેશમાં લૉકડાઉન યથાવત રાખ્યું હતું. તેને લઈને વિપક્ષે પીએમની આલોચના કરી હતી, પરંતુ સરકારે કહ્યું કે, જો લૉકડાઉન લગાવવામાં ન આવ્યું હોત તો કોરોના સંક્રમણથી દેશમાં કરોડો લોકોનો જીવ જઈ શકતો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube