નવી દિલ્હી: યુવાનો માટે કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. સરકારે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીને મંજૂરી આપી દીધી છે. જેથી દેશના કરોડો યુવાનોને ફાયદો મળશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ બુધવારે કહ્યું કે આજે કેબિનેટની બેઠક થઇ જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે નોકરી માટે યુવાઓને ઘણી બધી પરીક્ષા આપવી પડે છે, આ બધુ સમાપ્ત કરવા માટે નેશનલ રિક્રૂટમેન્ટ ઇન્સ્ટીટ્યુટ એજન્સીની સ્થાપના કરવામા આવશે. તેમણે કહ્યું કે નેશનલ રિક્રૂટમેન્ટ ઇન્સ્ટીટ્યુટ સંસ્થા કોમ એલિજિબિટી ટેસ્ટ લેશે જેનો કરોડો યુવાનોને ફાયદો મળશે. તેમણે કહ્યું કે હવે એક પરીક્ષા થશે તેમની તકલીફ દૂર થશે અને આગળ જવાની તક મળશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube