દિપાલી જગતાપ, મુંબઈ: લોકસભા ચૂંટણી 2019 અગાઉ કોંગ્રેસમાં સામેલ થયેલા બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પણ હવે તાબડતોબ પીએમ મોદી વિરુદ્ધ નિવેદનો આપવાના શરૂ કરી દીધા છે. તેમણે હવે દેશમાં વધતી અસહિષ્ણુતા પર સવાલ ઉઠાવ્યાં છે. આ અગાઉ નસીરૂદ્દીન શાહ અને આમિર ખાન જેવા કલાકારોએ પણ આ મુદ્દે પોતાના વિચારો રજુ કરતા વિવાદ ઊભા થયા હતાં. કોંગ્રેસમાં સામેલ થયા બાદ ઝી મીડિયા સાથે વાતચીતમાં ઉર્મિલા માતોંડકરે કહ્યું કે હું સમગ્ર મુંબઈને મારું ઘર માનું છે. મને મરાઠી હોવા બદલ ગર્વ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોથી ખીચોખીચ બસની બ્રેક ફેલ થતા ટ્રકમાં ઘૂસી ગઈ, 8ના મોત અનેક ઘાયલ 


કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા ઉર્મિલાએ કહ્યું કે મોદીરાજમાં અસહિષ્ણુતા વધી છે. લોકોમાં એક બીજા પ્રત્યે નફરત ભરાઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ દબાણ હેઠળ છે. તમે કઈં પણ બોલો તો બબાલ ઊભી થઈ જાય છે. આ સરકારમાં લોકશાહીમાં મૂળભૂત અધિકારો ક્યાં છે. વાત કરતા પણ ડર લાગતો હતો. અમે એકવાર આ પ્રોપેગેન્ડાનો શિકાર બની ચૂક્યા છીએ. હવે તે નહીં થાય. પહેલા હું ચાર દીવાલની અંદર બોલતી હતી. પરંતુ હવે મને મંચ મળ્યો છે તો હું ખુલ્લે આમ બોલીશ.


લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી, જોધપુરથી અશોક ગેહલોતના પુત્રને મળી ટિકિટ


ઝી મીડિયા સાથે વાતચીતમાં ઉર્મિલાએ કહ્યું કે મારા જેવું શુદ્ધ મરાઠી કોઈ ફિલ્મ કલાકાર બોલી શકતા નથી. નોર્થ મુંબઈ લોકસભા સીટથી ઉર્મિલા માતોંડકરનું નામ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચર્ચામાં છે. દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાયા હતાં. ત્યારબાદ ગુરુવારે ઉર્મિલાએ મુંબઈમાં મીડિયા સાથે વાત કરી હતી. ઉર્મિલાનું કહેવું છે કે મારા વિચારો કોંગ્રેસની વિચારધારા સાથે મેળ ખાય છે. આથી મેં કોંગ્રેસમાં જોડાવવાનું નક્કી કર્યું છે. લોકો પોતાના ફાયદા માટે સત્તામાં બેઠેલી પાર્ટીમાં સામેલ થાય છે. પરંતુ મે વિપક્ષી પાર્ટીમાં જોડાવવાનું નક્કી કર્યું છે. મારી વિચારધારાના કારણે મેં આ નિર્ણય લીધો છે. હું ફક્ત ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીમાં નથી આવી. ઉર્મિલાનો પરિવાર પણ કોંગ્રેસ અને રાષ્ટ્ર સેવાદલ સાથે જોડાયેલો છે. 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...