નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલી (Chamoli)  જિલ્લાના જોશીમઠમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગ્લેશિયર તૂટવાના કારણે ભારે તબાહી મચી છે. ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને પાણી ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગ્લેશિયર તૂટવાના કારણે રૈણી ગામ પાસે ઋષિગંગા હાઈડ્રો પ્રોજેક્ટ (Rishiganga Hydro Power Project)ને ખુબ નુકસાન પહોંચ્યું છે. પ્રોજેક્ટનો બંધ તૂટી ગયો છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં અલર્ટ છે. 100થી 150 લોકો ગુમ થયા હોવાની ભીતિ છે. જ્યારે 3 મૃતદેહો અત્યાર સુધીમાં મળી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 લોકોના મોત
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી મચેલી તબાહીના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોતના સમાચાર છે. આઈટીબીપીએ કહ્યું કે ચમોલીના તપોવન વિસ્તારમાં NTPC સાઈટ(NTPC Site) પરથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube