મુંબઇ/નવી દિલ્હી: શિવસેના (Shivsena) નેતા સંજય રાઉતે (Sanjay Raut)  આજે કહ્યું કે વીર સાવરકર (Veer Savarkar) ફક્ત મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ દેશના પણ દેવતા છે. તેમણે કહ્યું કે સાવરકરનું નામ દેશ માટે ગર્વ અને ગૌરવનો વિષય છે. નેહરુ અને ગાંધીની જેમ સાવરકરે પણ સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આવા દરેક ભગવાનનું સન્માન થવું જોઈએ. તેની સાથે કોઈ સમાધાન થવું જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારું નામ રાહુલ ગાંધી...ગિરિરાજ સિંહે પલટવાર કરતા કહ્યું 'ઉધારની સરનેમથી કોઈ ગાંધી ન થઈ જાય'


રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ઈતિહાસની જાણકારી નથી, તેમનો અહંકાર બોલે છે'


રાઉતે કહ્યું કે અમે મહાત્મા ગાંધી અને પંડિત નેહરુ બંનેનું સન્માન કરીએ છીએ. કૃપા કરીને વીર સાવરકરનું અપમાન ન કરો. બુદ્ધિમાન લોકોને વધુ કશું કહેવાની જરૂર નથી. 


વીર સાવરકરનું નામ ઉછાળનારા રાહુલ ગાંધી સત્ય શું છે તે જાણે છે?


શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
અત્રે જણાવવાનું કે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે મને કહ્યું કે હું મારા ભાષણ બદલ માફી માંગુ પરંતુ મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે અને હું માફી નહીં માંગુ. હકીકતમાં રાહુલ ગાંધીનો ઈશારો હિન્દુવાદી નેતા દિવંગત વિનાયક દામોદર સાવરકર દ્વારા 14 નવેમ્બર 1913ના રોજ બ્રિટિશ સરકારને લખાયેલા માફી પત્ર તરફ હતો. જેને તેમણે આંદમાનની સેલ્યુલર જેલમાંથી લખ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....