નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસથી દિલ્હીની સરહદો પર કિસાનોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. કિસાનો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા નવા કૃષિ કાયદા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ, કમિટીની રચના
કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમે પ્રતિબંધ લગાવી દીધો છે. સર્વોચ્ચ અદાલતે મંગળવારે આ ચુકાદો સંભળાવ્યો છે. આ સાથે મામલાના ઉકેલ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ ચાર લોકો સામેલ થશે, જેમાં ભારતીય કિસાન યુનિયનના જિતેન્દ્ર સિંહ માન, ડો. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાંત) અને અનિલ શેતકારી સામેલ છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube