નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ દિલ્હીમાં આજે જંતર મંતર પર આમ આદમી પાર્ટી દ્વારા તાનાશાહી હટાવો, 'લોકતંત્ર બચાવો સત્યાગ્રહ' ની રેલી થઈ રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે અનેક વિરોધી પક્ષો આ આયોજનનો ભાગ બનશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ રેલીમાં ભાગ લેશે. મમતાદીદી આ રેલીમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હોવાના અહેવાલો વચ્ચે શહેરના રસ્તાઓ પર આજે સવાર સવારમાં એક અલગ પોસ્ટર જોવા મળ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકાતા બાદ હવે દિલ્હીમાં PM મોદી અને ભાજપ સામે વિરોધીઓનું શક્તિ પ્રદર્શન, રાહુલ પણ થશે સામેલ!


મમતાદીદીના સ્વાગત માટે લગાવવામાં આવેલા આ  પોસ્ટરોમાં તેમને કટાક્ષ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં મમતા બેનર્જીની ગુસ્સાવાળી તસવીરવાળા  કાર્ટુન સાથે લખવામાં આવ્યું છે કે દીદી તમને અહીં જનતાને સંબોધિત કરતા  કોઈ રોકશે નહીં. 


દેશના અન્ય સમાચારો વાંચવા માટે કરો ક્લિક...