What is Golden Hour Treatment: દેશમાં રોડ અકસ્માતમાં થનાર મોતનો આંકડામાં ગત કેટલાક દિવસથી ઘટી ગયો છે. પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં લોકોના રોડ અકસ્માતમાં મોત એટલા માટે થાય છે કારણ કે તેમને સમયસર સારવાર મળી શકતી નથી. હવે રોડ પરિવહન મંત્રાલય (MoRTH) રોડ અકસ્માતમાં ઘાયલ લોકોને જલદી જ સારવાર આપવા માટે નવી યોજના લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ સ્કીમને 'ગોલ્ડન અવર' (Golden Hour Treatment) નામ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુપણ ફ્રી માં અપડેટ કરી શકશો Aadhaar Card, સરકારે ત્રણ મહિના વધારી ડેડલાઇન
સોના-ચાંદીના ભાવ ઘટ્યા પણ હરખાવા જેવું નથી, બે છેડા ભેગા કરશો તોય નહી પડે મેળ


શું છે ગોલ્ડન અવર સ્કીમ?
ઇટી નાઉમાં પ્રકાશિત સમાચાર મુજબ, આ યોજના હેઠળ અકસ્માત પછીના પ્રથમ કલાકમાં ઘાયલોને 1.5 લાખ રૂપિયા સુધી અથવા 7 દિવસ સુધી મફત હોસ્પિટલમાં સારવાર (કોઈપણ પૈસા ચૂકવ્યા વિના) મળશે. જો કે, આ બેમાંથી જે પણ ખર્ચ ઓછો હશે, તે માન્ય રહેશે. આ યોજના સંશોધિત મોટર વાહન અધિનિયમ 2019 (MAV2019) નો ભાગ હશે અને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. 'ગોલ્ડન અવર'નો સીધો અર્થ થાય છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે શરૂઆતી 60 મિનિટથી છે. 


મોંઘવારીના માર વચ્ચે વીજબીલ મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત, ઘટ્યો આટલો ચાર્જ
12 વર્ષ બાદ ગુરૂ અને સૂર્યનું થશે મહામિલન, આ 3 રાશિઓના શરૂ થશે Golden Days


100 કરોડનું ફંડ બનાવવામાં આવશે
ઇટી નાઉના જણાવ્યા મુજબ સામાન્ય વીમા કંપનીઓ યોજના માટે થર્ડ પાર્ટી પ્રીમિયમના 0.5 ટકા જમા કરશે. આ સાથે લગભગ 100 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવી છે. કેન્દ્રની 'ગોલ્ડન અવર' યોજનાને યોગ્ય રીતે ચલાવવા માટે, તેને પ્રથમ હરિયાણા અને ચંદીગઢમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. આ યોજના શરૂ કરવાનો સરકારનો ઉદ્દેશ્ય 'ગોલ્ડન અવર' દરમિયાન સારવાર આપીને માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યામાં 50% ઘટાડો કરવાનો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં દેશમાં માર્ગ અકસ્માતમાં રેકોર્ડ 1.68 લાખ લોકોના મોત થયા હતા.


તમે પણ બનવા માંગો છો અમિતાભ બચ્ચનના પડોશી? જલસાની બાજુમાં કરો જલસા, આટલી છે કિંમત
Ganesh Chaturthi 2024 પર 5 શુભ યોગનું સંયોગ, આ રીતે પૂજા કરશો મળશે અનેકગણું ફળ


હાઇવે પર ચાલનાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ગાડીઓના સેફ્ટી ફીચર્સ વધારવા માટે દેશમાં પહેલાંથી જ ઘણા જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે. તેના અંતગર્ત ગાડીઓમાં વાહન નિર્માતા કંપનીઓ માટે એબીસ બ્રેક લગાવવી જરૂરી કરી દીધી છે. સાથે જ ગાડીની ગતિ વધુ હોય તો ડ્રાઇવરને એલર્ટ આપવાની સિસ્ટમ, સીટબેલ્ટની યાદ અપાવનાર સિસ્ટમ અને ભારત એનસીએપી (NCAP) ક્રેશ સેફ્ટી રેટિંગ ટેસ્ટ પણ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ સુવિધાને સરકારની મંજૂરી બાદ આયુષ્માન ભારત હોસ્પિટલો દ્રારા શરૂ કરી શકાય છે. 


Bank Jobs: મોટા પગારની નોકરી ઇચ્છતા લોકો માટે સોનેરી તક, ચૂકશો તો પસ્તાશો
Bajaj CNG Bike ઘટાડી દેશે 50-65% પેટ્રોલ ખર્ચ, જાણો એન્જીનથી માંડીને તમામ ફીચર્સ