નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી સામે લડત લડવામાં ભારતે હવે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) સામે મોરચો માંડી દીધો છે. આ વખતે ભારતે પોતાના નવા નિર્દેશ અને શોધથી WHOને સંકેત આપ્યો છે કે કોરના વાયરસની લડાઈમાં હવે દેશ પોતે એકલા હાથે લડત લડશે. દેશના હિતમાં જે રિસર્ચ અને સારવાર જરૂરી હશે તે જ કરવામાં આવશે. આ સાથે જ ભારતના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને WHOના સૂચનની કોઈ જરૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hydroxychloroquine દવાની ટ્રમ્પ પર શું અસર થઈ? વ્હાઈટ હાઉસે આપ્યો જવાબ 


કોરોના વાયરસ પર WHOના નિર્દેશ સામે ભારતનો પલટવાર
હાલમાં જ WHOએ તેના સભ્ય દેશોને નિર્દેશ જારી કર્યા હતાં કે કોરોના વાયરસની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન જોખમી સાબિત થઈ શકે છે. આથી તેઓ તેની ટ્રાયલ બંધ કરે. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ આ દવા પર રિસર્ચ તો કર્યું જ પરંતુ સાથે સાથે ડોક્ટરોને કહ્યું કે કોરોના વાયરસની સારવારમાં આ દવાથી બચાવ થઈ શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પોતાના લેટેસ્ટ રિસર્ચમાં કહ્યું છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવા લેવાથી કોરોના વાયરસના સંક્રમણના જોખમમાં ઘટાડો જોવા મળ્યો છે. 


Hydroxychloroquine પર જંગ! ભારત બાદ આ દેશે WHOને દવા પર પ્રતિબંધ મૂકવાની ચોખ્ખી ના પાડી દીધી


આ લડાઈ ભારતીય દવા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય જૂથ છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે હકીકતમાં મોટાભાગના પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકો અને દવા કંપનીઓ ભારતની ખુબ જ સસ્તી દવાઓના ઉપચારને લઈને હંમેશા નીચુ દેખાડવાની કોશિશ કરતા આવ્યાં છે. કોરોના વાયરસની સારવાર મેલેરિયા સામે બચાવ માટે બનેલી હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી શક્ય છે. જો કોરોના વાયરસથી બચવા માટે આ સસ્તી દવાનો ઉપયોગ વધી જાય તો પશ્ચિમી દેશોની દવા કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેમ છે. આ જ કારણ છે કે તેમની લોબી WHO પર દબાણ સર્જીને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની તમામ ટ્રાયલ બંધ કરાવવા માંગે છે. જેનો ભારતે વિરોધ કર્યો છે. 


Hydroxychloroquine: જે દવાને કોરોના સામે 'સંજીવની' ગણાવામાં આવી હતી, તેની ટ્રાયલ પર WHOએ લગાવી રોક


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube