નવી દિલ્હીઃ અચાનક સર્જાયેલા એક ઘટનાક્રમમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અગાઉ સ્વાયત્તતાના મુદ્દે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણ બાદ અનુમાન હતું કે ઉર્જિત પટેલ રાજીનામું આપી દેશે. જોકે, એ સમયે વિવાદનો ઉકેલ આવી ગયો હતો અને તેના સમાધાન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે, ઉર્જિત પટેલે અચાનક જ રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. અહીં હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, RBIના વડાની મહત્વપૂર્ણ જવાબદારી કોને સોંપાઈ શકે છે? એ તો સૌ જાણે છે કે જે રીતે ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું છે, ત્યાર બાદ નવો ગવર્નર પસંદ થવામાં સમય લાગશે. 


આરબીઆઇ ગર્વનર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું


એટલે કે, હવે વચગાળાના અધિકારી તરીકે કોઈને જવાબદારી સોંપવી પડશે. આવી પરિસ્થિતિમાં RBIમાં જે નંબર-2 હોય તેને જવાબદારી મળે છે. હવે, RBIમાં નંબર-2 પદ પર વીરલ આચાર્ય છે. હકીકતમાં સરકાર અને RBI વચ્ચેના વિવાદની શરૂઆત જ વીરલ આચાર્યની ટીપ્પણી બાદ થઈ હતી. જેમાં, તેમણે RBIની સ્વાયત્તતાના મુદ્દે સરકાર સામે કેટલાક પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા. આથી, વચગાળાના ગવર્નર તરીકે તેમને RBIની જવાબદારી કદાચ જ મળી શકે એમ છે. 


ઉર્જિત પટેલ વિશે જાણવા જેવી ખાસ 5 બાબતો અને ગુજરાત કનેક્શન...


શક્તિકાંત દાસ અને એન.એસ. વિશ્વનાથનું નામ પણ ચર્ચામાં 
ઉર્જિત પટેલનું સ્થાન લેવા માટે આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. આ ઉપરાંત RBIના ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનું નામ પણ છે. શક્તિકાંત દાસનું નામ એટલા માટે સૌથી આગળ મનાય છે, કેમ કે કેન્દ્રીય આર્થિક બાબતોના સચિવ તરીકે શક્તિકાંત દાસ દેશના સૌથી શક્તિશાળી લોકોમાંના એક છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...