Green Tea For Face Wash: સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો તેમના દિવસની શરૂઆત ગ્રીન ટીથી કરે છે. આનાથી ઘણા ફાયદા થાય છે. આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે. પરંતુ શું તમે જાણો છો કે ગ્રીન ટી ચહેરા માટે કેટલી ફાયદાકારક છે. હા, જો તમે ગ્રીન ટીના પાણીથી ચહેરો સાફ કરો, તો તમને ઘણો ફાયદો થઈ શકે છે. ચાલો જાણીએ કે ગ્રીન ટી તમારી ત્વચાને કેવી રીતે ફાયદો કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીન ટીના પાણીથી ચહેરો ધોવાના ફાયદા
1. ગ્રીન ટીના પાણીથી ચહેરો ધોવાથી તમારી ત્વચા પર ટેનિંગની સમસ્યા ઓછી થશે. ગ્રીન ટી ત્વચાને યુવી કિરણોથી થતા નુકસાનથી બચાવે છે. આવી સ્થિતિમાં ટેનિંગની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે દરરોજ સવારે ગ્રીન ટીના પાણીથી ચહેરો ધોઈ શકો છો.


2. જો તમને ખીલની સમસ્યા હોય તો પણ તમે તમારા ચહેરાને ગ્રીન ટીના પાણીથી ધોઈ શકો છો. તેનાથી ચહેરામાંથી નીકળતા વધારાના તેલને નિયંત્રિત કરી શકાય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલની સમસ્યાથી છુટકારો મેળવવામાં અસરકારક છે.



3. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમારી ત્વચાને વધતી ઉંમરની સમસ્યાથી બચાવે છે.જો તમારા ચહેરા પર ફાઈન લાઈન અથવા કરચલીઓ આવી રહી હોય અથવા ત્વચા ઢીલી પડી રહી હોય તો તમારે ગ્રીન ટીના પાણીથી ચહેરો ધોવો જોઈએ. તેનાથી કરચલીઓ ઓછી થઈ શકે છે.


4. ઉનાળામાં ઘણી વખત ત્વચાની ચમક ખોવાઈ જાય છે. ડેડ સ્કીન લેયર જમા થવાને કારણે ત્વચા કાળી અને અસમાન થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે ગ્રીન ટીના પાણીથી તમારો ચહેરો ધોશો તો તે તમારી ત્વચાને એક્સફોલિયેટ કરી શકે છે. 


5.ગ્રીન ટીમાં એન્ટીફ્લેમેટરી ગુણો હોય છે જે ત્વચાની બળતરા અને એલર્જી ઘટાડવામાં મદદ કરે છે. ખંજવાળ એલર્જી અને લાલાશની સમસ્યામાં પણ રાહત મળે છે.


ગ્રીન ટી પાણીનો ઉપયોગ કયા સમયે કરવો જોઈએ?
તમે જ્યારે પણ જાગો ત્યારે ગ્રીન ટીના પાણીથી ચહેરો ધોઈ શકો છો. આ સિવાય રાત્રે સૂતા પહેલા પણ ત્વચાને ગ્રીન ટીના પાણીથી ધોવાનું સારું માનવામાં આવે છે.


(Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. ZEE24KALAKતેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન,આ સન્માન મેળવનારા પહેલા ભારતીય PM
ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં ટ્રીપ પ્લાન ન કરતાં

August Grah Gochar: જાણો કઈ કઈ રાશિઓને થશે સૂર્ય, મંગળ અને શુક્રના ગોચરથી લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube