Hair Care Tips: ગંજાપન, વાળ ખરવા, રફ વાળ, ડૈંડ્રફ આજના સમયમાં વાળ સાથે જોડાયેલી સામાન્ય સમસ્યા બની ગઈ છે. લગભગ દરેક લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પુરુષ હોય કે સ્ત્રી, છોકરો હોય કે છોકરી દરેક પોતાના વાળની સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને મહિલાઓ લાંબા વાળ રાખે છે. તેવામાં તેમને વાળનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર પોતાના ઘરે અથવા સંબંધીના ઘરે જોયું હશે કે, મહિલાઓ વાળ ધોયા પછી ટુવાલ માથા પર બાંધે છે. તમે કોઈ પણ મહિલાને પુછી લો કે, તેઓ આવું શા માટે કરે છે. તેનો એક જ જવાબ હશે કે, વાળ જલદી સુકાઈ જાય. જો કે, ડૉક્ટર્સ હંમેશા આવુ કરવાનું ના પાડે છે. ડૉક્ટરના કહેવા મુજબ ક્યારેય પણ ન કરવું જોઈએ. કેમ કે, ભીના વાળ પર ટુવાલ લપેટવાથી ઘણા પ્રકારનું નુકસાન થાય છે. 


અહીં ભગવાને મનમૂકીને પાથર્યું છે કુદરતી સૌદર્ય, પણ અફસોસ તમે નહી જઇ શકો, જાણો કારણ
રસ્તા પરથી પૈસા ભરેલું પર્સ મળે તો આ વાતનો હોય છે ઇશારો, જાણો આ સંકેત શુભ કે અશુભ
અમર પ્રેમ કહાની: આબુની વાદીઓમાં દફન છે 'રસિયા બાલમ' અને 'કુંવારી કન્યા'ની પ્રેમગાથા


માથું ધોયા પછી ટુવાલ લપેટી લેવાથી વાળને ઘણું નુકસાન થાય છે. જે મહિલાઓ કે યુવતીઓ ટુવાલ બાંધે છે તેઓ આમ કરવાને બદલે વાળ ધોયા પછી તરત જ હેર ડ્રાયરનો ઉપયોગ કરીને વાળ સુકાવે તો વધુ ફાયદો થશે. તેનાથી વાળ ઝડપથી સુકાઈ જશે અને તમારી સ્કેલ્પ પણ સ્વસ્થ રહેશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરતી વખતે હંમેશા સાવચેત રહો. અને કોઈપણ સમયે વાળમાં અઠવાડિયામાં માત્ર 2-3 વખત શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે લાંબા વાળને વધુ પડતી ધોવાથી ઘણું નુકસાન થાય છે.


તલના તેલથી આંગળી ચાટતા રહી જશો એવી બનશે રસોઇ, હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક
Saturday: આજે કરશો આ વસ્તુઓનું દાન તો શનિ દેવનો ક્રોધ થશે શાંત, ખુલશે સફળતાના દ્વાર
Saturday Shani Dev: શનિવારે આટલું કરશો શનિદેવ કરી દેશે બેડો પાર, દુખ-દર્દ થઇ જશે દૂર


વાળ ધોયા પછી ટુવાલ વીંટાળવાના 5 ગેરફાયદાઃ
-ભીના વાળ પર ટુવાલ વીંટાળવાથી માથું લાંબા સમય સુધી ભીનું રહે છે, જેનાથી ડેન્ડ્રફ થવાની શક્યતા વધી જાય છે.
-વાળ ધોયા પછી ટુવાલ વીંટાળવાથી માથાની ચામડીમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે. તેનાથી વાળને નુકસાન થાય છે.


એનર્જીનું પાવરબેંક છે બિહારનું ટોનિક, યુદ્ધના જવાનોએ તાકાત વધારવા કર્યો હતો પ્રયોગ
આટલું વાંચ્યા પછી શરબત બનાવીને લીંબુની છાલ ફેંકશો નહી, પાડોશીને પણ આપશો સલાહ

-જેમને વાળ ખરવા જેવી સમસ્યા હોય તેમણે ભૂલથી પણ ભીના વાળમાં ટુવાલ લપેટી ન લેવો જોઈએ. કારણ કે તેનાથી સમસ્યા વધી શકે છે.
-ભીના વાળ પર ટુવાલ બાંધવાથી વાળના મૂળ નબળા પડી જાય છે અને સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે.


ડોકટરો હંમેશા કહે છે કે અઠવાડિયામાં 2-3 વખત વાળમાં તેલથી માલિશ કરવી જોઈએ. આનાથી તમારા વાળની કુદરતી ચમક હંમેશા બની રહેશે.


BCCIની જાહેરાત, બોલર એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકી શકશે : બેઠકમાં બદલાયા નિયમો
રેફ્રિજરેટરનું ઠંડુગાર થઇ જવું બની શકે છે ખતરનાક! સાવધાનીથી ઉપયોગ કરવામાં છે ભલાઇ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube