Skin Care: નાળિયેરનો ઉપયોગ પૂજાની સાથે ઘરના રસોડામાં કેટલીક વાનગીઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. જોકે કાચું નાળિયેર આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. લીલા નાળિયેરનું પાણી તો ઘણા લોકો પીતા હોય છે પરંતુ લીલા નાળિયેરની જેમ કાચું નાળિયેર પણ આપણા સ્વાસ્થ્ય, ત્વચા અને વાળને અઢળક ફાયદા કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાળિયેર ખાવાથી શરીરને વિટામીન ઈ, કોપર, આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા જરૂરી પોષક તત્વો મળે છે. જો નિયમિત રીતે એક ટુકડો નાળિયેર પણ ખાવામાં આવે તો થોડા જ દિવસમાં શરીરમાં ઘણા બધા ફાયદા જોવા મળે છે. ખાસ કરીને વાળ અને ત્વચાને નાળિયેર ખાવાથી સૌથી વધુ લાભ થાય છે. 


નાળિયેર ખાવાથી થતા લાભ


આ પણ વાંચો: Hair Care: માથામાં ટાલ પડી જાય તે પહેલા ખરતાં વાળને અટકાવો, આજથી જ શરુ કરો આ ઉપાય


- બદલતા વાતાવરણમાં વાળ ઘણીવાર ડેમેજ થઈ જાય છે. તેવામાં જો તમે નિયમિત રીતે નાળિયેરનો એક ટુકડો પણ ખાશો તો વાળને અંદરથી જરૂરી પોષણ મળશે અને વાળ રેશમી અને ચમકદાર દેખાવા લાગશે.  


- પ્રદૂષણ, સ્ટ્રેસ અને અન્ય કારણોસર લોકોની સ્કિન પણ પ્રભાવિત થતી હોય છે. જો તમારી સ્કિન પણ ડેમેજ થઈ છે તો નાળિયેર ખાવું ફાયદાકારક સાબિત થશે. નિયમિત નાળિયેર ખાવાથી ત્વચા પર ગ્લો આવે છે.
 
- જે લોકોનું વજન વધારે છે તેમના માટે પણ નાળિયેર ખાવું  ફાયદાકારક સાબિત થશે. નાળિયેરનો સમાવેશ ડાયટમાં કરવાથી વજન ઝડપથી ઘટે છે. નાળિયેર ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ અને ચરબી ઘટે છે


આ પણ વાંચો:Weight Loss: હાથીના પગ જેવી જાડી સાથળ પણ થઈ જશે સુડોળ, રોજ કરો આ યોગાસન


- જે લોકોને પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય તેમને નાળિયેરનું સેવન શરૂ કરી દેવું જોઈએ. કારણ કે નાળિયેર ફાઇબરથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાથે જ નાળિયેર ખાવાથી પેટને પણ રાહત મળે છે.


-  નાળિયેર ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે. નાળિયેરનું સેવન કરવાથી શરીરમાં એન્ટિવાયરલ ગુણ વધે છે જેના કારણે વારંવાર ઇન્ફેક્શનના કારણે બીમારી થતી નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)