Sunscreen Option: સામાન્ય દિવસોમાં પણ જ્યારે ઘરેથી બહાર નીકળવાનું થાય તો તડકાથી ત્વચાનું રક્ષણ કરવું જરૂરી હોય છે. કારણ કે તડકો ત્વચા ને ગંભીર રીતે નુકસાન કરી શકે છે. મોટાભાગે લોકો ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમારી પાસે સનસ્ક્રીન લોશન ન હોય અથવા તો આજ સુધી તમે તેનો ઉપયોગ કર્યો ન હોય તો તમને ઘરના રસોડામાં રહેલી કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે સન સ્ક્રીન લોશનની ગરજ સારી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તડકાની હાનિકારક કિરણોથી ત્વચાનું રક્ષણ કરવા માટે તમે આ ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમે સ્કિનને સુરક્ષિત રાખી શકો છો. ખાસ વાત એ છે કે આ વસ્તુઓ દરેક ઘરમાં સરળતાથી મળી રહે તેવી છે. 


આ પણ વાંચો:


ચહેરાની ત્વચા 7 દિવસમાં બનશે સુંદર અને બેદાગ, ટ્રાય કરો મેથી પાવડરના આ હોમમેડ ફેસપેક


Hair Care: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, જો રસોડામાં રહેલી આ વસ્તુઓથી ધોશો વાળ


આ 5 નેચરલ વસ્તુઓ ત્વચાને ક્લીન કરવા માટે બેસ્ટ, ફેસવોશ કરતાં સારી રીતે કરે છે કામ


નાળિયેર તેલ


નાળિયેર તેલમાં કુદરતી રીતે એસપીએફ છ જેટલું હોય છે. તેનો ઉપયોગ કરવાથી તડકાના કારણે ત્વચાને થતી અસરથી ત્વચાની રક્ષા કરી શકાય છે. જોકે તમારે તડકામાં કલાકો સુધી રહેવાનું હોય તો નાળિયેર તેલ નો ઉપયોગ કરવાનું ટાઢવું.


તલનું તેલ


તડકાની અસરથી બચવા માટે તમે તલના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો તમે તલનું તેલ લગાડીને બહાર નીકળો છો તો ટ્રેનિંગની સમસ્યા નહીં થાય.


આ પણ વાંચો:


Weight Loss:રોજ ખાવી આ 5 વસ્તુઓ, પેટ અને કમરની વધેલી ચરબી 15 દિવસમાં ઓગળી જશે


કાચા દૂધમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, 7 દિવસમાં દુર થશે ચહેરાના અણગમતા વાળ


બદામનું તેલ


તડકાની હાનિકારક કિરણોથી ત્વચાનું રક્ષણ કરવા માટે બદામનું તેલ પણ ફાયદાકારક છે. બદામના તેલમાં વિટામીન અને અન્ય પોષક તત્વો હોય છે જે સ્કીન ટેનિંગની સમસ્યાને દૂર કરે છે.


એલોવેરા જેલ


એલોવેરા જેલ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓમાં રામબાણ દવા જેવું કામ કરે છે તડકાના કારણે ત્વચાને થતા નુકસાનથી પણ એલોવેરા જેલ બચાવી શકે છે એલોવેરા જેલ તમારી ત્વચા માટે નેચરલ સ્કીન ક્રીમ સાબિત થઈ શકે છે. કેટલીક રિસર્ચમાં ખુલાસો થયો છે કે એલોવેરા જેલને લગાડવાથી તડકાના કારણે થતું નુકસાન 20 ટકા સુધી ઘટી જાય છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)