Married Women: હું પરિણીત મહિલા છું. મને મારા પતિ સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ મને તેની માતા બિલકુલ પસંદ નથી. આ એટલા માટે કારણ કે જ્યારે અમે બંને સાથે નથી હોતા ત્યારે તે અલગ-અલગ વાતો કરીને અમારી વચ્ચે ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરતી રહે છે. જોકે, મેં મારા પતિ સાથે પણ આ અંગે વાત કરી છે. તે એ વાત સાથે પણ સહમત છે કે તેની માતા અમારી વચ્ચે એકતા કપૂરની સિરિયલ જેવી અજબ-ગજબ ગેમ્સ રમે છે. પરંતુ આ પછી પણ તે મારા સાસુમા સાથે વાત કરવા તૈયાર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેં મારા પતિ સાથે ભાડા પર અલગ ઘર લેવાની વાત પણ કરી છે, જેથી અમે નજીક રહી શકીએ અને અમારી વચ્ચે એકાંત રહે, પણ તે તેમની માતાને એકલા રાખવા માગતા નથી કે નથી છોડી શકતા. જો તે આવું કરશે તો તેમની માતા માનસિક રીતે ભાંગી પડશે. જોકે, હું પણ ઘરથી દૂર રહેવા માંગતી નથી, પરંતુ તેમની હરકતો મને પરેશાન કરી રહી છે. હું દરરોજ તેમની બકવાસ સાંભળું છું. મારા પોતાના લગ્ન જીવન વિશે શું? તેમની માતાના કારણે મારા જીવનમાં ઝેર ઓક્યું છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ?


આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી
આ પણ વાંચો: સપનેય વિચાર્યું નહી હોય એટલી કિંમતમાં Split AC, ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લેજો
આ પણ વાંચો:  Samsung એ વેલેન્ટાઈન ડે પર મૌજ કરાવી દીધી,ગર્લફ્રેન્ડને આપજો ખુશ થઈ જશે
આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી


તમારી સાસુ તમારા અને તમારા પતિ વચ્ચે અંતર બનાવવાનો પ્રયાસ કરી રહી છે, તો તમારે બંનેએ એક ટીમ તરીકે આ સમસ્યાને ઉકેલવાની જરૂર છે. આ એટલા માટે છે કારણ કે તમે બંને અલગ વ્યક્તિઓ નથી પરંતુ એક પરિણીત કપલ ​​છો, જેના કારણે તમે બંને આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો. આ સ્થિતિમાં, જ્યારે તમે તમારા પતિને પહેલાં આખી પરિસ્થિતિ વિશે ખબર હોય, તો પછી તમારા બંને માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે તેની સાથે તેના વિશે વાત કરો. તેમને કહો કે તેમની આ હરકતો તમને બંનેને કેટલી પરેશાન કરી રહી છે. આટલું જ નહીં, તમારા લગ્નને બચાવવા માટે તમારે તમારી સાસુનો ખૂબ જ પ્રેમથી સામનો કરવો પડશે જેથી તમારા પતિને ખરાબ ન લાગે અને તમારું કામ થઈ જાય.


આ પણ વાંચો: દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
આ પણ વાંચો:  Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા
આ પણ વાંચો: 
ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત


તમે કહ્યું કે તમે તમારા પતિને પણ અલગ ઘર રાખવાની વાત કરી હતી, જેમાં તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે કોઈ પણ વ્યક્તિ માટે તેના માતા-પિતાને છોડવું સરળ નથી. તમારા પતિ સાથે પણ એવું જ છે. હાલ તે ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. તે માત્ર બધાને ખુશ રાખવા માંગતો નથી, પરંતુ તે તેના તમામ સંબંધોને જાળવી રાખવામાં પણ વ્યસ્ત છે.


આવી સ્થિતિમાં, તમે તમારા પતિની સપોર્ટ સિસ્ટમ બનો. તમારી સાસુ સાથે સ્પષ્ટ વાત કરો. જો તમે ઈચ્છો તો વાતચીત દ્વારા પણ તમારા લગ્ન જીવનમાં તેમની દખલગીરી રોકી શકો છો. ઉપરાંત, તમારા પતિ સાથે સારું વર્તન કરો જેથી કોઈ ત્રીજી વ્યક્તિ તમારા બંને વચ્ચે અણબનાવ ન સર્જે. તમે બંને સારી રીતે જાણો છો કે તમારી સાસુમા તમારા બંને વચ્ચે અંતર બનાવી રહી છે. આવી સ્થિતિમાં, મને લાગે છે કે થોડા સમય માટે નવી જગ્યાએ રહેવાથી ખરેખર તમારા બધા વચ્ચેનો પ્રેમ વધી શકે છે.  એટલા માટે છે કારણ કે જ્યારે તમે લાંબા સમય પછી એકબીજાને મળો છો, ત્યારે તમારી પાસે ઘણી વાતો હોય છે. આનાથી માત્ર તમારા સંબંધો સુધરે છે, પરંતુ કોઈના મનમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહેતો નથી. તમારે તમારા પતિને સમજાવવું પડશે કે કેટલીકવાર સંબંધોમાં અંતર રાખવું ખરેખર સારું છે.


આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube