મિત્રએ કહ્યું, અહમદ પટેલ ક્રિકેટર બનવા ઈચ્છતા હતા, અનાયાસે રાજકારણમાં પ્રવેશ્યા

Wed, 25 Nov 2020-3:33 pm,

ઝી 24 કલાક સાથે કરેલી ખાસ વાતચીત માં પ્રવીણ સ્વામી એ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહમદ પટેલના ખૂબ જ અંગત તેમજ વિશ્વાસુ મિત્ર બન્યા હતા. સ્થાનિક રાજકારણની પળેપળની માહિતી તેઓ અહેમદ પટેલ સુધી પહોંચાડતા હતા. 

જૂની વાતો વાગોળતા પ્રવીણ સ્વામીએ જણાવ્યું હતું કે, અહમદ પટેલ ક્રિકેટના ખૂબ જ શોખીન હતા. તેમજ ભરૂચ ક્રિકેટ ટીમના તેઓ કેપ્ટન પણ રહી ચૂક્યા હતા. અસલમાં અહમદ પટેલ પોતે ક્રિકેટર બનવા માંગતા હતા. પરંતુ અનાયાસે તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા.

તેઓએ કહ્યું કે, અહમદ પટેલને પોતાની કામગીરીને સમાજ સુધી પહોંચાડવા માટે એક લાઈબ્રેરીની સ્થાપના કરવાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ તેમના આકસ્મિક અવસાન થવાના કારણે તેમની આ ઈચ્છા આ અધૂરી રહી ગઈ હતી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link