Ravivar Totke: રવિવારે કરો આ નાનકડું કામ, સૂર્યની જેમ ચમકી જશે ભાગ્ય
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો રવિવારે સૂર્યદેવને તાંબાના લોટામાં પાણી ભરી અર્ઘ્ય ચઢાવો. આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થશે અને તમારી દરિદ્રતા દૂર થશે.
જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો રવિવારે ચોખામાં દૂધ અને ગોળ મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્પણ કરો. આ પછી પ્રસાદ તરીકે ગ્રહણ કરો.
જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહે અને તમારી તિજોરી ધનથી ભરેલી રહે તો રવિવારે સાંજે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો.
જો તમે સૂર્ય કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો રવિવારે લાલ વસ્ત્ર, લાલ અનાજ અને ગોળનું દાન કરો. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
જો તમારી કોઈ ઈચ્છા હોય અને તમે તેને પૂરી કરવા માંગતા હોય તો રવિવારે શ્રી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે.
જો નોકરીમાં પ્રગતિ મેળવવા ઈચ્છતા હોય તો રવિવારે ગોળ અને ચોખા નદીના વહેતા પાણીમાં પ્રવાહિત કરો. આમ કરવાથી નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ વધી જશે.