પલટાઈ ગઈ નવરાત્રિની આગાહી, હવામાન વિભાગે વાદળો જોઈને નવો વરતારો કાઢ્યો, આપ્યા ખુશીના સમાચાર

Fri, 04 Oct 2024-2:14 pm,

હવામાન વિભાગની નવી આગાહી કહે છે કે, ગુજરાતમાં નવરાત્રી વરસાદની સંભાવના નહિવત છે. માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આવનાર દિવસોમાં ચોમાસુ વિદાય લેશે. આવનાર ત્રણ દિવસમાં ગરમી પારો પણ ઊંચકાશે. અમદાવાદ શહેરમાં આવનાર એક સપ્તાહમાં 33 થી 35 ડિગ્રી રહેવાની સંભાવના

હવામાન શાસ્ત્રીઓનો અંદાજ અને ગણતરી છે કે આ વખતે ઓક્ટોબરમાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે. ગરમી પણ વધુ રહેશે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થયો હતો. જે આ વખતે ઓક્ટોબરમાં પણ થશે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ આ વાતનો ખુલાસો કર્યો છે. ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આ વખતે ઓક્ટોબરમાં છેલ્લા 50 વર્ષની સરેરાશ કરતા 115 ટકા વધુ વરસાદ થવાની આશા છે. જેના કારણે ઉનાળામાં વાવેલા પાકને નુકસાન થઈ શકે છે. કારણ કે તેમની લણણીનો સમય આવી રહ્યો છે. આ વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિના નવ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. એમાં પણ ખાસ કરીને નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટોછવાયો અને હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. એટલે કે બાકીના જિલ્લાના લોકોને પહેલા નોરતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.

લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં 3 ઑક્ટોબરથી 7 ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જોકે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link