Coronavirus નો એવો તે ડર પેસી ગયો...મહિલાએ 5 વર્ષની દીકરી પર ચાકૂના 15 ઘા ઝીંક્યા, દર્દનાક મોત

Fri, 25 Jun 2021-3:18 pm,

ધ સનના રિપોર્ટ મુજબ કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે સુથા શિવનાથમે તેની પાંચ વર્ષની પુત્રીની ચાકૂના ઘા મારી હત્યા કરી નાખી. કારણ કે તેને ડર હતો કે તે કોવિડ-19થી મરી જશે અને તેની દીકરી તેના વગર રહી શકશે નહીં. (ફોટો- ધ સન)

માસૂમ પર 15 ઘા ઝીંકી દીધા રિપોર્ટ મુજબ સુથા શિવનાથમે પોતાના દક્ષિણ લંડન સ્થિત ફ્લેટના બેડરૂમમાં પુત્રી સયાગી શિવનાથમ પર ચાકૂના 15 ઘા ઝીંક્યા અને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારબાદ પોતાના ઉપર પણ ચાકૂથી હુમલો કર્યો. પાડોશીઓએ જો કે તાબડતોબ બંનેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી. 

કોર્ટમાં સુનાવણી દરમિયાન બાળકીના પિતા સુગંથન શિવનાથમે જણાવ્યું કે કોરોના મહામારી અને પ્રતિબંધોની તેની પત્ની પર ખુબ ખરાબ અસર પડી. તેમણે કહ્યું કે તે ડરી ગઈ હતી કે તેને કોરોના થઈ જશે અને તે મરી જશે. ત્યારબાદ તેઓ કોર્ટમાં જ જોર જોરથી રડવા લાગ્યા હતા. (ફોટો-ધ સન)  

કોર્ટમાં રજુ કરાયેલા દસ્તાવેજો મુજબ સુથા શિવનાથમ અને સુગંઠનના વર્ષ 2006માં અરેન્જ મેરેજ થયા હતા. ત્યારબાદથી તેઓ લંડનમાં રહેતા હતા. જો કે તેને અંગ્રેજી આવડતું નથી.   

સુથા શિવનાથમની સારવાર કરનારા એક મનોચિકિત્સકે જણાવ્યું કે કોવિડ-19 મહામારી અને લોકડાઉનના કારણે તેના મગજ પર ઊંડી અસર થઈ છે અને સોશિયલ આઈસોલેશને ગંભીર રીતે માનસિક બીમાર કરી નાખી. આ બાજુ સુથાના પતિએ કહ્યું કે આ ઘટના બાદથી પત્ની સાથે તેમણે વાત કરી નથી. પરંતુ તેમને ખબર છે કે આ ઘટના માટે તે જવાબદાર નથી. તેમણે કહ્યું કે 'જો તે સાજી હોત તો અમારી પુત્રીને ક્યારેય મારી શકત નહીં.' (સાંકેતિક તસવીર)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link