ચમત્કારિક ઘટના! એક પથ્થરે બચાવ્યો આખા પરિવારનો જીવ, નહિ તો 6 લોકો મોતને ભેટ્યા હોત

Mon, 13 May 2024-11:12 am,

ગોધરા પરવડી ચોકડી પાસે થયેલા એક ટ્રક અકસ્માતમાં ચમત્કારી ઘટના બની હતી. આ ઘટનામાં એક પથ્થરે આખા પરિવારનો જીવ બચાવ્યો હતો.  

રવિવારે રાતના સમયે પરવડી ચોકડીથી એક ટેન્કર યમદૂત બનીને રસ્તા પર ધસી આવ્યું હતું. ડિવાઈડર કૂદીને આવેલુ ટેન્કર રોંગ સાઈડ પર એક મકાન પાસે ધસી ગયું હતું.  

જોકે, મકાનની લગોલગ મોત બની આવી ચડેલા ટેન્કરને એક વિશાળકાય પથ્થરે અટકાવ્યું હતું. જેથી ટેન્કર મકાનમાં ઘૂસતા પહેલા જ અટકી ગયુ હતું.  

ઘટના સમયે નજીકના જ મકાન માં એક પરિવાર ભોજન કરી રહ્યો હતો, જો ટેન્કર મકાનમાં ઘુસી જતું તો 6 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા હોત.  

મકાનમાં 6 લોકોનો પરિવાર ભોજન કરી રહ્યો હતો, પરંતુ તેમનો પથ્થરને કારણે ચમત્કારિક રીતે બચાવ થયો હતો. 

દેવદૂત સમા પથ્થર ને કારણે પરિવારનો જીવ બચ્યો. આમ, પરિવારે તેને ચમત્કારિક રક્ષક ગણાવ્યો.

તો બીજી તરફ, મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરંતુ અકસ્માતમાં ટેન્કરમાં સવાર ચાલક અને તેનો પરિવાર ઈજાગ્રસ્ત થયો હતો. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link