શનિદેવ આ 4 રાશિવાળાને ન્યાલ કરી નાખશે, સૂતેલું ભાગ્ય જાગશે, ધનથી તિજોરીઓ છલકાશે

Fri, 08 Sep 2023-10:02 pm,

શનિદેવ કુંભ અને મકર રાશિના સ્વામી છે. તેઓ માણસને તેમના કર્મોના આધારે શુભ અને અશુભ ફળ આપે છે. શનિ ગોચર કરવામાં લાંબો સમય લે છે. તેમને એક રાશિમાંથી બીજી રાશિમાં જતા અઢી વર્ષનો સમય લાગે છે. જેમની કુંડળીમાં શનિ શુભ સ્થાન પર હોય છે એવા લોકો રાજસી જીવન જીવે છે. 

શનિના માર્ગી થવાથી તુલા રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બનશે. આકસ્મિક ધનલાભની તક મળશે. નોકરીયાતોને પ્રમોશનના ખુશખબર મળી શકે છે. વેપારીઓને સારો નફો મળી શકે છે. 

વૃષભ રાશિવાળા માટે શનિનું માર્ગી થવું એ ફળદાયી સાબિત થશે. આ રાશિના જાતકોને નોકરી અને કારોબારમાં સારી પ્રગતિ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. નવી નોકરીની શોધ કરી રહેલા લોકોના સપના પૂરા થશે. 

શનિના માર્ગી થવાથી મિથુન રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળી શકે છે. ધનલાભની તકો મળશે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરીયાત લોકોને જોબની સારી ઓફરો મળી શકે છે. માન સન્માન અને યશમાં વધારો થશે. 

શનિના માર્ગી થવાથી કુંભ રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે. નોકરીયાતોને નવી નોકરી કે પ્રમોશનનો લાભ મળી શકે છે. વેપારીઓને કારોબારમાં ફાયદો થશે. જેનાથી સારો ધનલાભ થઈ શકે છે.  (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link