Tantra Mantra: જો કોઈ વ્યક્તિ સાથે અચાનક બને આવી ઘટનાઓ તો સમજી લેવું તેના પર છે મેલી વિદ્યાની અસર

Fri, 24 Nov 2023-12:00 pm,

શુકનશાસ્ત્રમાં આવા તંત્ર-મંત્ર અને ટોટકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શુકનશાસ્ત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર કાળો જાદુ થાય છે તો તેને કેટલાક સંકેતો જોવા મળે છે. આજે તમને જણાવીએ એવા સંકેતો વિશે જ દર્શાવે છે કે તમારા પર કોઈએ કાળા જાદુનો પ્રયોગ કર્યો છે.

જ્યારે કોઈ વ્યક્તિ પર ટોટકા કે કાળા જાદુનો પ્રયોગ થયો હોય છે તો તે વ્યક્તિનો પોતાના પર કાબુ રહેતો નથી. આવી સ્થિતિમાં વ્યક્તિ વિચિત્ર હરકતો કરવા લાગે છે 

એકદમ સ્વસ્થ વ્યક્તિ અચાનક જ કોઈપણ કારણ વિના બીમાર પડે અને તેની બીમારી સમજી શકાય નહીં તેવી હોય તો સમજી લેવું કે તેના પર કાળા જાદુની અસર છે.

ઘરમાં રાખેલો તુલસીનો છોડ અચાનક જ સુકાઈ જાય. ઘરના આંગણામાં કોઈ મૃત પક્ષી કે પશુ આવીને પડે તો તે અશુભ સંકેત છે.

વ્યક્તિના સ્વભાવમાં અચાનક જ પરિવર્તન થવા લાગે અને તે પોતાની જાતને બધા જ કાર્યમાં સાચી જ ગણાવવાનો પ્રયત્ન કરવા લાગે તો સમજી લેવું કે તેના પર કોઈએ ટોણા ટોટકા કરેલા છે.

જ્યારે કાળો જાદુ થાય છે તો તેને નોકરી કે બિઝનેસમાં રસ નથી રહેતો અને તે કામમાં સતત નિષ્ફળ જવા લાગે છે.

જે વ્યક્તિ પર ટોણા ટોટકા થાય છે તે વ્યક્તિને અચાનક એકલું રહેવાનું ગમવા લાગે છે તેના નખનો રંગ કાળો થવા લાગે છે.

જે વ્યક્તિ પર ટોણા ટોટકા થાય છે તેને રાત્રે ઊંઘમાં ભયાનક સપના આવે છે. કાળા જાદુનો સંકેત કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link