પ્રભુ શ્રી રામે હનુમાનજીને બજરંગબલી કેમ કહ્યાં... જાણો તેની પાછળની કહાની

Tue, 21 Nov 2023-9:51 pm,

હનુમાન જીની પૂજા કરવાથી કુંડળીમાં મંગળના દોષનો પ્રભાવ ઓછો થાય છે. એવી માન્યતા છે કે હનુમાન જી ભક્તોના દુખોને હંમેશા દૂર કરે છે. બળ અને બુદ્ધિના દેવતા હનુમાનજીને બજરંગબલી પણ કહેવામાં આવે છે. 

 

પૌરાણિક માન્યતાઓ અનુસાર હનુમાન જીને બજરંગબલી કેમ કહેવામાં આવે છે. તેની પાછળ બે માન્યતાઓ છે. પ્રથમ માન્યતા પ્રમાણે બજરંગબલી ખુબ શક્તિશાળી છે. તેમનું શરીર વ્રજ સમાન બળશાળી છે. 

બીજી માન્યતા અનુસાર હનુમાનજી રોતાના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામને પ્રસન્ન કરવા માટે પોતાના શરીરમાં સિંદૂર લગાવતા હતા.

માન્યતા છે કે એકવાર માતા સીતા સિંદૂર લગાવી રહ્યાં હતા. ત્યારે હનુમાનજી ત્યાં પહોંચ્યા તેમણે માતા સીતાને પૂછ્યું કે માતા તમે તમારી માંગમાં સિંદૂર કેમ લગાવો છો. તેનો જવાબ આપતા માતા સીતા કહે છે કે તે પોતાના પતિ શ્રીરામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સિંદૂર લગાવે છે. 

માતા સીતાની વાત સાંભળી બજરંગબલી વિચારે છે કે જો સિંદૂર લગાવવાથી આટલો લાભ થાય તો તે પોતાના શરીરમાં સિંદૂર લગાવશે. તેનાથી પ્રભુ રામ અમર થઈ જશે. આ ભક્તિ જોઈને ભગવાન શ્રી રામે હનુમાન જીને કહ્યું કે આજથી તમને આ દુનિયામાં બજરંગબલીના નામથી ઓળખવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link