Relationship Tips: પતિ પત્નીના સંબંધોમાં પ્રેમની સાથે વિશ્વાસ જળવાઈ તે પણ જરૂરી છે. પતિ પત્નીએ એકબીજાનો વિશ્વાસ ન તૂટે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આજના સમયમાં પાર્ટનર સાથે ચીટીંગ કરવાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. ચીટીંગના કારણે ઘણા સંબંધોનો અંત પણ આવે છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ લોકો માટે સર્જાય છે જેમને ચીટીંગ કરી ચૂકેલા વ્યકિત સાથે રહેવું પડે. ઘણી વખત સ્થિતિ એવી હોય છે કે ચીટીંગ કરનાર વ્યક્તિ સાથે સંબંધ તોડી ન શકાય.. આવી સ્થિતિમાં એક વખત વિશ્વાસ તોડી ચૂકેલા માણસ સાથે રહેવું તે ખૂબ જ મુશ્કેલ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રિલેશનશીપને લઈ હિના ખાને આપેલી આ ટીપ્સ ફોલો કરશો તો વર્ષોવર્ષ સંબંધમાં પ્રેમ ટકશે


રિલેશનશિપ એક્સપર્ટ પણ જણાવે છે કે જ્યારે એક પાર્ટનરને બીજા પાર્ટનરની ચીટીંગ વિશે ખબર પડી જાય તો ત્યાર પછીનો સમય ખૂબ જ મુશ્કેલ ભર્યો હોય છે. કારણ કે વિશ્વાસઘાત સામેની વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. પાર્ટનરે ચીટીંગ કરી છે તે વાત જાણતા હોવા છતાં કેટલાક કપલ પોતાના સંબંધ તૂટે નહીં અને સંબંધ સુધરે તે માટે પ્રયત્નો કરે છે. આવી સ્થિતિમાં જે કપલે સંબંધોને સુધારવા માટે કેટલીક વાતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. 


આ પણ વાંચો: ફક્ત 30 મિનિટનો ડિજિટલ બ્રેક લઈ પ્રિયપાત્ર સાથે રોજ કરો આ કામ, બધીજ ફરિયાદો થશે દુર


વાત કરો


સંબંધમાં એક વખતની ચીટીંગ પછી જો સંબંધને મજબૂત બનાવી ટકાવી રાખવા હોય તો સૌથી પહેલા કપલ છે એકબીજા સાથે મુક્તમને વાત કરવી જોઈએ. જો પાર્ટનર સાથે ખુલીને વાત કરશો તો ચીટીંગના કારણે સંબંધમાં આવેલા અંતરને દુર કરી શકશો.


આ પણ વાંચો: આ 4 વાતો ખુશહાલ લગ્નજીવનને પણ કરી દે છે બરબાદ, સુખી રહેવું હોય તો ન કરવી આ ભુલ


વિશ્વાસ પ્રાપ્ત કરો


સંબંધમાં ચીટિંગ કર્યા પછી પોતાના પાર્ટનર નો વિશ્વાસ ફરીથી જીતવો ખૂબ જ જરૂરી હોય છે. પોતાની ભૂલને સ્વીકારી આગળ વધો અને સાથે જ પ્રયત્ન કરો કે તમારો પાર્ટનર તમારા પર ફરીથી વિશ્વાસ કરે. તેના પ્રેમને જીતવાનો પ્રયત્ન કરો જેથી તે બધું ભૂલીને આગળ વધી શકે.


આ પણ વાંચો: આ 5 વસ્તુઓ પુરુષોની નબળાઈ દુર કરી તુરંત વધારે છે તાકત, મેરિડ લાઈફમાં છવાઈ જશે ખુશીઓ


કાઉન્સિલિંગ કરો


પતિ-પત્ની માંથી જ્યારે કોઈ એક વ્યક્તિ બેવફાઈ કરે છે તો તેની અસર બીજી વ્યક્તિની માનસિક સ્થિતિ પર ગંભીર રીતે થાય છે. કોઈપણ કારણસર જ્યારે કપલ એકબીજા સાથે રહેવાનું નક્કી કરે છે તો પછી આવી સ્થિતિમાં કાઉન્સિલિંગ લેવું પણ જરૂરી થઈ જાય છે. એક્સપર્ટના કાઉન્સિલિંગથી પતિ-પત્નીને ભવિષ્ય સુધારવા માટેનું યોગ્ય માર્ગદર્શન મળે છે. કારણ કે ચીટીંગ થયા પછી મોટાભાગે કપલ એકબીજાને પોતાની વાત સમજાવી શકતા નથી આ વાત એક્સપર્ટ સારી રીતે સમજાવી શકે છે.


આ પણ વાંચો: જયા બચ્ચનથી લઈ કેટરિના સુધીની અભિનેત્રીઓએ જણાવ્યું ક્યારે રિલેશનશીપમાં લેવો યુ ટર્ન


એકબીજાને સમય આપો


મોટાભાગે ચીટીંગ કરનાર પાર્ટનર આ ભૂલ કરે છે. જ્યારે તે ચીટીંગ કરતાં પકડાય તો તે પોતાના પાર્ટનર દૂર ભાગવા લાગે છે. આમ કરવાથી સ્થિતિ વધારે ખરાબ થાય છે. તેના બદલે પોતાના પાર્ટનરની સાથે સમય પસાર કરો અને તેને થયેલી તકલીફને સાંભળો. તેની સાથે વાતચીત કરી સમય પસાર કરશો તો ફરીથી તેનો વિશ્વાસ જીતી લેશો. સાથે જ જે પાર્ટનર સાથે ચીટીંગ થઈ હોય તેને પણ ધીરજથી કામ લઈ સંબંધને ફરીથી એક તક આપવી જોઈએ.