Rahu Ketu Gochar 2023: દરેક ગ્રહ નિશ્ચિત સમય અવધીમાં રાશિ પરિવર્તન કરે છે. રાશિ પરિવર્તન કરવામાં સૌથી વધારે સમય શનિ ગ્રહ લગાવે છે. શનિ ગ્રહ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. ત્યાર પછી રાહુ અને કેતુ આવે છે જે રાશિ પરિવર્તન દોઢ વર્ષે કરે છે. વર્ષ 2023 આ ત્રણેય ગ્રહોના રાશિ પરિવર્તનની દ્રષ્ટિએ વિશેષ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં શનિ ગ્રહે રાશિ પરિવર્તન કર્યું અને હવે 30 ઓક્ટોબરે રાહુ ગ્રહ મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કેતુ ગ્રહ તુલા રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં ગોચર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુ અને કેતુ એવા ગ્રહ છે જે હંમેશા વક્રી અવસ્થામાં ભ્રમણ કરે છે. આ ગ્રહોનું રાશિ પરિવર્તન પણ 12 રાશિના જાતકોના જીવનમાં વિશેષ પ્રભાવ પાડે છે. 30 ઓક્ટોબરે રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે અને તેના કારણે 12 રાશિના લોકોના જીવનમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. જો કે ત્રણ રાશિ માટે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન શુભ સાબિત થવાનું છે. આ રાશિના જાતકોના જીવનમાંથી સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થશે.


રાહુ અને કેતુ આ રાશિઓને કરાવશે લાભ


આ પણ વાંચો:


વૈવાહિક જીવનમાં હોય સમસ્યા તો શુક્રવારે આ મંત્ર કરો જાપ, દાંપત્યજીવનમાં આવશે મધુરતા


Vakri Guru 2023: 31 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓને મળશે લખલૂટ પૈસા, વક્રી ગુરુ કરશે કૃપા


શાંત સ્વભાવ અને કોમળ હૃદયના હોય છે આ તારીખે જન્મેલા લોકો, બુદ્ધિ હોય ચાણક્ય જેવી


મેષ રાશિ


રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં જશે તેના કારણે મેષ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. આ રાશિના લોકોને વિવાદિત મામલે સફળતા પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન તેઓ ધન પણ કમાશે અને બચત પણ કરશે. અટકેલી યોજનાઓ ફરીથી શરૂ થશે અને સફળતા સાથે પૂર્ણ થશે. 


વૃષભ રાશિ


રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે પણ શુભ સાબિત થવાનું છે. 18 મહિના દરમિયાન આ રાશિના લોકોને અઢળક લાભ થશે. તેમની આવક સતત વધતી જશે. અચાનક કોઈ મોટી ધન રાશિ પ્રાપ્ત થઈ શકે છે. અગાઉ કરેલા રોકાણથી પણ લાભ પ્રાપ્ત થશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.


આ પણ વાંચો:


Shukra Gochar 2023: આ રાશિઓ પર માં લક્ષ્મી થયા મહેરબાન, 1 મહિનામાં આ લોકો બનશે અમીર


Astro Upay: મંદિરમાં દીવો કરો ત્યારે નીચે રાખો આ વસ્તુ, ઘરની તિજોરી નહીં રહે ખાલી


મિથુન રાશિ


મિથુન રાશિના લોકોને પણ રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન લાભ કરાવશે. જૂની સમસ્યાઓથી રાહત મળશે અને અટકેલું ધન પરત મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આગામી 18 મહિનાનો સમય શાનદાર રહેવાનો છે. વેપારમાં પણ મોટો ધનલાભ થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી નોકરી મળશે


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)