શાંત સ્વભાવ અને કોમળ હૃદયના હોય છે આ તારીખે જન્મેલા લોકો, બુદ્ધિ હોય ચાણક્ય જેવી

Numerology: મૂળાંક એ વ્યક્તિની જન્મ તારીખના આંકડાનો સરવાળો હોય છે.  અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિ વિશે ઘણી માહિતી તેની જન્મ તારીખ પરથી મેળવી શકાય છે. જેમ કે અંકશાસ્ત્ર મુજબ મૂળાંક 2 ના લોકો શાંત સ્વભાવના હોય છે. જે વ્યક્તિનો જન્મ 2, 11, 20 અને 29મી તારીખે થયો હોય છે તેમનો મૂળાંક 2 હોય છે. 

શાંત સ્વભાવ અને કોમળ હૃદયના હોય છે આ તારીખે જન્મેલા લોકો, બુદ્ધિ હોય ચાણક્ય જેવી

Numerology: અંકશાસ્ત્રમાં વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે કથન 1 થી 9 સુધીના મૂળાંકના આધારે કરવામાં આવે છે. દરેક મૂળાંકના લોકોમાં કેટલીક વિશેષતાઓ હોય છે. મૂળાંક એ વ્યક્તિની જન્મ તારીખના આંકડાનો સરવાળો હોય છે.  અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિ વિશે ઘણી માહિતી તેની જન્મ તારીખ પરથી મેળવી શકાય છે. જેમ કે અંકશાસ્ત્ર મુજબ મૂળાંક 2 ના લોકો શાંત સ્વભાવના હોય છે. જે વ્યક્તિનો જન્મ 2, 11, 20 અને 29મી તારીખે થયો હોય છે તેમનો મૂળાંક 2 હોય છે. 

મૂળાંક 2નો સ્વામી ચંદ્ર

આ પણ વાંચો:

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૂળાંક 2 ધરાવતા લોકોનો સ્વામી ગ્રહ ચંદ્ર હોય છે. જેના કારણે આ લોકો પર ચંદ્રનો ઘણો પ્રભાવ જોવા મળે છે. ચંદ્રના પ્રભાવથી મૂળાંક 2 ના લોકો ખૂબ જ રચનાત્મક હોય છે. આ ઉપરાંત તેમની પાસે તીવ્ર બુદ્ધિ પણ હોય છે. તેમની બૌદ્ધિક ક્ષમતા અને શાણપણને કારણે તેઓ સમાજમાં સન્માન મેળવે છે.

નિર્દોષ અને ઉદાર છે

મૂળાંક નંબર 2 વાળા લોકો સ્વભાવે નિર્દોષ અને ઉદાર હોય છે.  તેઓ ખૂબ જ શાંત સ્વભાવ અને કોમળ હૃદયના હોય છે. તેઓ બીજાની મદદ કરવામાં સૌથી આગળ હોય છે. તેઓને તેમના નજીકના લોકો માટે ઊંડી લાગણી હોય છે. મૂળાંક 2 ધરાવતા લોકોનું વ્યક્તિત્વ પણ આકર્ષક હોય છે. તેઓ બુદ્ધિશાળી અને સ્માર્ટ હોવાની સાથે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ગભરાતા નથી. તેઓ દરેક પરિસ્થિતિનો સારી રીતે સામનો કરે છે.

પ્રેમ કરનાર હોય છે

મૂળાંક 2 ધરાવતા લોકો તેમના જીવનસાથી પ્રત્યે ખૂબ કાળજી રાખે છે. તેઓ તેમના જીવનસાથીને પ્રેમ કરે છે અને તેમની દરેક બાબતનું ધ્યાન રાખે છે. તેઓ સારા જીવનસાથી સાબિત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news