Chankya Niti: આચાર્ય ચાણક્ય એ પોતાના અનુભવોને લોકો સુધી પહોંચાડવા માટે ચાણક્ય નીતિનું સર્જન કર્યું છે. ચાણક્ય નીતિમાં તેમણે જિંદગીમાં શીખેલા અનુભવોનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ જણાવ્યું છે કે વ્યક્તિ પોતાની જિંદગીમાં કેવી રીતે સારી અને ખરાબ વસ્તુઓથી અંતર રાખી શકે. જો આજના સમયમાં પણ લોકો ચાણક્ય નીતિ ની કેટલીક બાબતોને ધ્યાનમાં રાખે તો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો જરૂરી છે કે તે યોગ્ય રસ્તા પર ચાલે અને મહેનત કરે. સફળતા પ્રાપ્ત કરવા માટે ભાગ્યોનો સાથ પણ જરૂરી છે પરંતુ ભાગ્ય પણ એવા જ વ્યક્તિને સાથ આપે છે જે જીવનમાં સારી આદતોને અપનાવે. 


આ પણ વાંચો:


આ મંદિરમાં પ્રેમીને પ્રાપ્ત કરવા યુગલ રાખે છે બાધા, દર્શન કરવાથી થઈ જાય છે લવમેરેજ


ગણતરીના દિવસોમાં પલટી મારશે આ 4 રાશિઓનું ભાગ્ય, સૂર્યના ગોચરથી મળશે ધન અને પ્રસિદ્ધિ


બુદ્ધિશાળી હોય છે આ 5 રાશિના લોકો, ભણવામાં હોય નંબર વન, ઓફિસમાં પણ રહે છે ટોપ પર


ચાણક્ય નીતિ અનુસાર જો કોઈ વ્યક્તિ મહેનત ન કરે અને ખરાબ આદતો ધરાવતો હોય તો તેની પાસે માતા લક્ષ્મી ક્યારેય ટકતા નથી. જો આવા વ્યક્તિને ધન મળે તો પણ તે પળવારમાં કંગાળ થઈ જાય છે. તેનું કારણ હોય છે વ્યક્તિની કેટલીક ખરાબ આદતો. જે વ્યક્તિને આ આદત હોય તેના હાથમાંથી કરોડોની સંપત્તિ પણ સરકી જાય છે. 


મહેનત કરવાનું આળસ


આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ સવારે ઊઠે ત્યારથી સાંજ સુધી ફક્ત આળસ માં દિવસ પસાર કરે તેની પાસે ક્યારેય ધન રહેતું નથી. જે વ્યક્તિ આળસના કારણે મહેનત નથી કરતી તે હંમેશા ગરીબ જ રહે છે.


દાન કરવામાં કંજૂસી


આચાર્ય ચાણક્ય અનુસાર જો કોઈ વ્યક્તિ કમાયેલું ધન દાન કરવામાં કંજૂસી કરે છે તો તે વ્યક્તિ પોતાનું જીવન ગરીબીમાં જ પસાર કરે છે. જે વ્યક્તિને કંજૂસીની આદત હોય અને દાન પુણ્ય કરવાથી હંમેશા દૂર ભાગે તેના ઉપર માતા લક્ષ્મીના આશીર્વાદ પણ થતા નથી.


આ પણ વાંચો:


મેષ સહિત આ 5 રાશિઓને ફળશે સપ્ટેમ્બર મહિનો, 30 દિવસમાં ધન વૃદ્ધિ યોગના કારણે થશે લાભ


30 વર્ષ પછી જન્માષ્ટમી પર બનશે દુર્લભ સંયોગ, આ ઉપાય કરવાથી તમે બની શકો છો કરોડપતિ


પૈસાની વેલ્યુ ન કરવી


ઘણા લોકો એવા હોય છે જેને સરળતાથી બધું જ મળી જાય છે અને આવા લોકોને પૈસાની કદર પણ હોતી નથી. ચાણક્ય નીતિ અનુસાર જે વ્યક્તિને પૈસા ની વેલ્યુ ન હોય તે જીવનમાં કંગાળ અને બેહાલ જ રહે છે. આવા વ્યક્તિને મળેલી કરોડોની સંપત્તિ પણ ખર્ચ થઈ જાય છે અને તેને રસ્તા પર આવી જવું પડે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)