Akshay Tritiya 2024: વૈશાખ મહિનાની ત્રીજની તિથિ અક્ષય તૃતીયા તરીકે ઉજવાય છે. આ દિવસને અખાત્રીજ તરીકે પણ કેટલીક જગ્યાએ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવાથી તેનું અક્ષય ફળ મળે છે. આ દિવસને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. આ દિવસે સોના, ચાંદીની ખરીદીથી લઈને નવા કામની શરુઆત કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે અને શુક્રવારે ઉજવાઈ રહી છે. આજે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસ દાન કરવા માટે પણ શુભ છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે 5 શુભ યોગ બની રહ્યા છે. 


અક્ષય તૃતીયાના 5 શુભ યોગ


આ પણ વાંચો: પિતૃઓના આશીર્વાદથી બનવું હોય ધનવાન તો ગરુડ પુરાણની આ 5 વાતનું રાખો ધ્યાન


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાના દિવસે બુધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, શુક્રાદિત્ય યોગ, માલવ્ય યોગ અને શશ રાજયોગ બની રહ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે આ 5 યોગ બનવા તે અતિ શુભ સંકેત છે. આ 5 મહાયોગ અને અક્ષય તૃતીયાનો દિવસ 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. 


3 રાશિઓ માટે શુભ છે અક્ષય તૃતીયા


આ પણ વાંચો: 19 મેથી બદલાઈ જશે આ લોકોનું ભાગ્ય, કરોડપતિ બનવાની ઉજ્જવળ તક, શું તમારી છે આ રાશિ?


મેષ રાશિ


બુધાદિત્ય રાજયોગ, શુક્રાદિત્ય યોગ, શશ યોગ અને લક્ષ્મી નારાયણ યોગ આ રાશિના લોકોને શુભ ફળ આપશે. આ રાશિના લોકોના બધા જ કામ પૂર્ણ થશે. ધનમાં વધારો થશે. દરેક કામમાં સફળતા મળશે. વેપારમાં નફો વધશે. જે લોકોનું કામ વિદેશ સંબંધિત છે તેમને જોરદાર નફો થશે. 


આ પણ વાંચો: અક્ષય તૃતીયા પર બુધ બદલશે રાશિ, 4 રાશિઓ માટે સર્જાશે પ્રમોશન અને ધન લાભના યોગ


વૃષભ રાશિ 


વૃષભ રાશિ માટે પણ અક્ષય તૃતીયાનો દિવસ શુભ રહેશે. દરેક કામમાં ભાગ્ય સાથ આપશે. જીવનમાં સકારાત્મકતા વધશે. ભૌતિક સુખ-સુવિધા વધશે. કારર્કિદીમાં પ્રગતિ થશે. નવી તકનો લાભ લેવો. માન-સન્માન વધશે. ઘરમાં સંપત્તિ ખરીદવાના યોગ બનશે. 


આ પણ વાંચો: સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબી


કન્યા રાશિ


કન્યા રાશિ માટે પણ અક્ષય તૃતીયાના પંચ મહાયોગ વરદાન સમાન સાબિત થશે. આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે. નવી નોકરી મળી શકે છે. વેપાર પણ સારો ચાલશે. સંપત્તિમાં રોકાણ કરવાથી લાભ થશે. અંગત જીવન સારું રહેશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)