Astro Tips: દરેક ધર્મમાં દાનનું ખૂબ મહત્વ છે. દાન આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની મહેનતની કમાણીનો દસમો ભાગ યોગ્ય દાનમાં વાપરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર દાન કરવાથી વ્યક્તિના ખરાબ કાર્યોનો નાશ થાય છે અને તેને સારા કર્મોનું ફળ મળે છે. દાન કરવાથી પૂર્વ જન્મના પાપ પણ ધોવાઈ જાય છે. દાન હંમેશા બ્રાહ્મણો, ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને જ આપવું જોઈએ. કારણ કે યોગ્ય પાત્રને કરેલું દાન જ પુણ્ય ફળ આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે રીતે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તે રીતે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેનું કાન કરવાથી ઘરમાં સુખ-શાંતિ છીનવાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવું અશુભ છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે જેને દાનમાં આપવી જોઈએ નહીં. 


આ વસ્તુઓનું ન કરવું ક્યારેય દાન


આ પણ વાંચો:


મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી પરિક્રમા કરવી પણ જરૂરી, જાણો કારણ અને લાભ વિશે


Budh Gochar: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિઓનું અમીર બનવું નક્કી, થશે ધન લાભ


Zodiac Sign: આ રાશિના છોકરાઓમાં હોય છે ચુંબકિય આકર્ષણ, યુવતીઓ જોતાં જ થઈ જાય છે ફિદા


સ્ટીલના વાસણ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણનું દાન કરવાથી પરિવારની સુખ-શાંતિ નષ્ટ થાય છે. આમ કરવાથી ઘરમાં ઝઘડા વધે છે. તેથી જ સ્ટીલના વાસણોનું દાન કરવામાં આવતું નથી.   


સાવરણીનું દાન


હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક કહેવામાં આવે છે. સાવરણી ક્યારેય કોઈને દાનમાં ન આપવી. આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ વધે છે અને ઘરની સુખ-સમૃદ્ધિ છીનવાઈ જાય છે.


આ પણ વાંચો:


કોઈપણ દિવસે ન ઉતારી લેવી તુલસીની માંજર, જાણો કયા દિવસે તોડવી માંજર અને શું કરવું પછી


દોઢ મહિના સુધી વક્રી શુક્ર આ 3 રાશિઓને આપશે કષ્ટ, આ ઉપાયો બચાવી શકે છે સંકટથી


17 ઓગસ્ટથી બદલશે આ 3 રાશિના લોકોનું જીવન, ચતુર્ગ્રહી યોગ અપાવશે અઢળક ધન અને સફળતા


પ્લાસ્કિટ કે કાચના વાસણનું દાન


પિત્તળ, ચાંદી, તાંબુ વગેરે શુભ અને પવિત્ર ધાતુઓ છે. તેનું દાન શુભ ફળ આપે છે. પરંતુ પ્લાસ્ટિક,  એલ્યુમિનિયમ અને કાચના વાસણ ભુલથી પણ કોઈને દાનમાં ન આપવા. આમ કરવાથી નોકરી અને વ્યવસાય પર અસર થાય છે અને ઘરમાં મંદી આવે છે. 


વાસી ખોરાક
 
ગરીબ અને ભૂખ્યાને ભોજન કરાવવું પુણ્યનું કામ છે. પરંતુ ક્યારેય તેમને વાસી કે વધેલો ખોરાક ન આપો. તેનાથી ઘરમાં ગરીબી આવે છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)