મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી પરિક્રમા કરવી પણ જરૂરી, જાણો કારણ અને તેનાથી થતાં લાભ વિશે

Parikrama of Temple: હિન્દુ ધર્મ અનુસાર મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાનની પરિક્રમા કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં પરિક્રમા કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને ભક્તોના દુઃખ અને સંકટ દૂર કરે છે. 

મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી પરિક્રમા કરવી પણ જરૂરી, જાણો કારણ અને તેનાથી થતાં લાભ વિશે

Parikrama of Temple: પરિક્રમા હિન્દુ ધર્મનું એક મહત્વનું અનુષ્ઠાન છે. પરિક્રમા ભગવાનની મૂર્તિની, પવિત્ર ઝાડની, પર્વતની, નદીઓની અને મંદિરની કરવામાં આવે છે. તમે પણ જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા જાય તો દર્શન કર્યા પછી બહાર આવીને મંદિરની પરિક્રમા કરે છે. હિન્દુ ધર્મમાં પૂજા કર્યા પછી મંદિરની પરિક્રમા કરવાનું પણ વિશેષ મહત્વ છે. 

હિન્દુ ધર્મ અનુસાર મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાનની પરિક્રમા કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં પરિક્રમા કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને ભક્તોના દુઃખ અને સંકટ દૂર કરે છે. 

આ પણ વાંચો:

કેવી રીતે કરવી મંદિરની પરિક્રમા

મંદિરમાં પરિક્રમા હંમેશા ઘડિયાળની ગતિની દિશામાં કરવી જોઈએ. કોઈપણ મંદિરની પરિક્રમા ત્રણ વખત કરવી જોઈએ જેમાં મંત્રોનો ઉચ્ચારણ પણ કરવું જોઈએ. ધર્મ શાસ્ત્ર અનુસાર પરિક્રમા દક્ષિણાચારમ એટલે કે પરિક્રમા કરનારનો જમણો ભાગ ગર્ભ ગૃહમાં બિરાજતા દેવતાની તરફ હોય તે રીતે પરિક્રમા કરવી જોઈએ. 

પરિક્રમા કરવાથી થતા લાભ

મંદિરમાં પૂજા કર્યા પછી પરિક્રમા કરવાથી નકારાત્મક ભાવનાઓનો અંત આવે છે. સાથે જ માનસિક ચિંતા દૂર થાય છે અને વ્યક્તિ હળવાશ અનુભવે છે. શાસ્ત્રો અનુસાર મંદિરની પરિક્રમા ને ભગવાન સાથે જોડાવાનો એક આધ્યાત્મિક રસ્તો ગણવામાં આવી છે. જે વ્યક્તિ મંદિરની પરિક્રમા કરે છે તેના ઉપર ભગવાનના આશીર્વાદ હંમેશા રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news