3 Mantras For Thursday: હિન્દુ ધર્મ અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. તેવી રીતે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં આવેલી તકલીફો દૂર થાય છે. જો પૂજા પાઠ કરી શકાય નહીં તો ગુરુવારના દિવસે કેટલાક ચમત્કારી મંત્રોનો જાપ કરીને પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Vastu Tips: કરજથી મુક્તિ મેળવવા અને આર્થિક સમૃદ્ધિ માટે કરો આ 5 સરળ કામ


આ 3 રાશિના લોકો પર શનિની ક્રુર દ્રષ્ટિ, સમસ્યાઓ દુર કરવા શનિ જયંતિ પર કરી લો આ ઉપાય


અત્યંત ખાસ છે આ મહિનાની અમાસ, આ ઉપાયો કરવાથી બધા જ દોષથી મળશે મુક્તિ


ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને દાંપત્યજીવન સુખમય રહે છે. સાથે જ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ કે ગુરૂવારના દિવસે કયા મંત્રોનો જાપ કરવાથી જીવનના વિઘન દૂર થાય છે. 


વિષ્ણુ ગાયત્રી મંત્ર


ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કર્યા પછી વિષ્ણુ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં આવેલી સમસ્યા દૂર થાય છે. 


ॐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્


વિષ્ણુ બીજ મંત્ર


ગુરૂવારના દિવસે વિષ્ણુ ભગવાનના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી ગુરુ સંબંધિત દોષ દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.


ॐ બૃં બૃહસ્પતે નમ:


ॐ ગં ગુરવે નમ:


ॐ એં શ્રી બૃહસ્પતયે નમ:


વિષ્ણુ મંત્ર


ગુરૂવારના દિવસે મનની ઈચ્છા પૂરી કરવાની કામના હોય તો વિષ્ણુ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રોનો જાપ કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ વધે છે.


ॐ નમો ભગવતે વાયુદેવાય


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)