Shiv Ji Puja Rules: નીતિ-નિયમથી કોઈ પણ દેવી-દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે તો યોગ્ય ફળ મળતું હોય છે. પરંતુ નિયમોથી વિપરીત આરાધના અશુભ ફળ પણ આપે છે. શ્રાવણ માસમાં ચારે બાજુ બમ્મ બમ્મ ભોલેનો નાદ ગૂંજી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવની પૂજામાં કેતકીનું ફૂલ વર્જિત છે. શિવજીએ ખુદ કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો. જો કે બાદમાં તેને વિનય વરદાન પણ આપ્યું હતું કે તું મારી પૂજા માટે યોગ્ય તો નથી પરંતુ ભક્તજનો જ્યારે મારી પૂજા દરમિયાન ફળોથી મંડપ સજાવશે ત્યારે તે મંડપમાં પ્રમુખ તો તું જ હશે. તેથી કેતકીનું ફૂલ ભગવાન શિવને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ, પરંતુ તેને મંડપનું મુખ્ય જરૂર બનાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Peel Benefits: સફરજન છાલ સાથે ખાવું જોઈએ કે પછી છાલ વગર ? આ રહ્યો જવાબ
Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો


શિવપુરાણ કરાયેલા વર્ણન મુજબ એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયું કે તેમનામાંથી કોણ મહાન છે. બંને દેવતાઓએ ઘાતક મહેશ્વર અસ્ત્ર અને પાશુપત અસ્ત્ર એકબીજા પર છોડી દીધા. જો આ બન્ને શસ્ત્રો અથડાયા હોત તો વિનાશ વેરાયો હોત. આ જોઈને ભોલેનાથ બંને શસ્ત્રોની વચ્ચે લિંગ સ્વરૂપમાં આવ્યા. ભગવાન શિવના સ્પર્શથી જ બંને શસ્ત્રો શાંત થઈ ગયા.


Income Tax: ITR ભરતી વખતે લોકો કરે છે આ ભૂલો, ટેક્સ ચૂકવતી કરશો નહી ઇગ્નોર
Health Tips: આજે જ ડાયટમાં કરો સામેલ આ વસ્તુઓ,કેન્સર અને હાર્ટએટેક આસપાસ પણ નહી ફરકે

લિંગની શરૂઆતથી અંત જાણવા માટે, જ્યારે બ્રહ્માજી હંસના રૂપમાં ઉપર ઉડ્યા, ત્યારે ભગવાન વિષ્ણુ ભૂંડનું રૂપ લઈને પાતાળ લોકમાં જતા રહ્યા. પરંતુ શરૂઆત કે અંત ન મળ્યો. બ્રહ્માજીએ છેતરપિંડી કરી અને  આકાશમાંથી કેતકીનું ફૂલ લાવીને તેને જ લિંગનો અંત ગણાવી દીધું. આ જોઈને શિવ ગુસ્સે થયા. બ્રહ્માજીને તો સજા થઈ. આ અસત્યમાં બ્રહ્માજીનો સાથ આપવાને કારણે તેમણે કેતકીના ફૂલને પણ શ્રાપ આપ્યો હતો.


શું તમે પણ ઉપવાસ પ્રથમવાર કરી રહ્યા છો? બસ આટલું ધ્યાન રાખશો તો નહી પડો બિમાર
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર


કયું ફૂલ અર્પણ કરવાથી શું મળશે ફળ?
* લાલ કે સફેદ આકડાના ફુળથી ભગવાન શિવનું પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
* ચમેલીના ફૂલથી પૂજન કરવાથી વાહન સુખ મળે છે
* અલસીના ફૂલોથી શિવનું પૂજન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુ પ્રિય બને છે
* શમી વૃક્ષના પત્તાઓથી પૂજન કરવાથી મોક્ષ મળે છે
* બેલાના ફૂલથી પૂજા કરવાથી સુંદર અને સૌમ્ય પત્ની મળે છે
* જૂહીના ફૂલથી ભગવાન શિવની પૂજા કરો, તો ઘરમાં ક્યારેય અન્નની કમી નથી આવતી
* કાનેરના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાથી નવા વસ્ત્રો મળે છે.
* હરસિંગરના ફૂલથી પૂજા કરવાથી સુખ-સંપત્તિમાં વધારો થાય છે.
* ધતુરાના ફૂલથી પૂજા કરવાથી ભગવાન શંકર એક યોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે પરિવારનું નામ રોશન કરે છે.
* શિવ ઉપાસનામાં લાલ દાંડીવાળા ધતુરાને શુભ માનવામાં આવે છે.
* દુર્વાથી ભગવાન શિવની પૂજા કરવાથી ઉંમર વધે છે.


Vastu Tips: સવારે ઉઠીને ક્યારેય જોશો નહી આ વસ્તુઓ, નહીંતર ગરીબી ઘર કરી જશે
Feng Shui Tips: ફેંગશુઈ હાથીના ફાયદા જાણશો, આજે જ ઘરે લાવશો, ધનના થશે ઢગલા


(Disclaimer:- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!
વરસાદ બાદના ઉકળાટમાં ધડાધડ વેચાઇ રહ્યું છે 500 રૂપિયામાં આ AC, કિંમત ફક્ત 500થી શરૂ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube