Gajlakshmi Yoga: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે તો તેના કારણે શુભ અને અશુભ બંને પ્રકારના યોગનું નિર્માણ થાય છે. તેવામાં એપ્રિલ મહિનામાં ગુરુ ગ્રહનું ગોચર થવા જઈ રહ્યું છે. ગુરુ ગ્રહ એપ્રિલ મહિનામાં મેષ રાશિમાં ગોચર કરશે. આ ગોચરના કારણે ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. આ ગોચર નો પ્રભાવ દરેક રાશિના જાતકોના જીવન પર પડશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને સફળતા પ્રાપ્ત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રાશિ અનુસાર કરો વસ્તુઓનું દાન, જીવનમાંથી દુર થશે આર્થિક સમસ્યાઓ, માતા લક્ષ્મીના મળશે


ખાંડના આ ટોટકા દૂર કરશે દરેક પ્રકારના દોષ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા


મહિલાને આ કામ કરતાં ક્યારેય ન જોવી પુરુષે, જોવાથી ભોગવવા પડે છે નરક સમાન દુ:ખ


મેષ રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુનું મેષ રાશિમાં પ્રવેશ કરવો આ રાશિના જાતકો માટે વિશેષ લાભદાયી રહેશે. મેષ રાશિના જાતકોના સારા દિવસોની શરૂઆત થઈ જશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા પ્રાપ્ત થશે. જે નોકરી કરે છે તે તેમની બઢતી થશે. વિદ્યાર્થીઓ પણ સફળતા પ્રાપ્ત કરશે. આ સમય દરમિયાન જીવનસાથી સાથે દાંપત્યજીવન સુધરશે.


મિથુન રાશિ


ગજલક્ષ્મી રાજયોગ મિથુન રાશિના જાતકો માટે પણ અનુકૂળ રહેશે. ગુરુ ગ્રહ આ રાશિના જાતકોના આવકના ભાવમાં ગોચર કરશે. જેના કારણે તેમની આવકમાં વધારો થશે. આવક ના નવા સ્ત્રોત ઊભા થશે અને સમાજમાં માન સન્માન વધશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. નોકરી કરતા લોકોને પણ અધિકારીઓનો સહયોગ મળશે.


આ પણ વાંચો:


માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક


જે ઘરમાં રવિવારે થાય છે આ કામ ત્યાં નથી રહેતી સમૃદ્ધિ, લોકો રહે છે ગરીબ


ધન રાશિ 


ધન રાશિના જાતકો માટે પણ ગજલક્ષ્મી રાજયોગ લાભદાયી રહેશે. આ રાશિના જાતકોના પંચમ ભાવમાં ગુરુગોચર કરશે. જેના કારણે તેમને સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. વેપાર કરતાં લોકો માટે પણ આ સમય શુભ છે. નોકરી કરતા લોકોને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે.