ખાંડના આ ટોટકા દૂર કરશે દરેક પ્રકારના દોષ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

Astro Tips: કુંડળીનો ગ્રહ દોષ હોય કે પિતૃદોષ ખાંડના આ ટોટકા દુર કરશે બધી જ સમસ્યા, અજમાવો અને તુરંત જોવા મળશે અસર..

ખાંડના આ ટોટકા દૂર કરશે દરેક પ્રકારના દોષ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

Astro Tips: જ્યોતિષશાસ્ત્રમાં જન્મ કુંડળીમાં અશુભ પ્રભાવ પાડતા ગ્રહોના દોષને દૂર કરવાના ઉપાયો વિશે જણાવ્યું છે. પરંતુ તેમાંથી કેટલાક ઉપાય મુશ્કેલ હોય છે તો કેટલાક કરવા અશક્ય હોય છે. તો વળી કેટલાક ઉપાય કરવા પાછળ ખર્ચ પણ કરવો પડે છે. પરંતુ સાથે જ કેટલાક ઉપાયો એવા પણ છે જેને તમે કોઈ પણ પ્રકારની મહેનત વિના અને ખર્ચ કર્યા વિના કરી શકો છો. આ ઉપાયો કરવાથી જીવનના કષ્ટ પણ ઝડપથી દૂર થાય છે. આજે તમને આવા જ એક ઉપાય વિશે જણાવીએ જે ઘરમાં રહેલી એક મીઠી વસ્તુ એટલે કે ખાંડના ઉપયોગથી થાય છે.

આ પણ વાંચો:

- જો કોઈની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તે તેને લગતા દોષ હોય તો આ ઉપાય કરવો. તેના માટે તાંબાના વાસણમાં પાણી લઈ તેમાં ખાંડ ભેળવી અને તેનાથી સૂર્યને અર્ધ્ય આપો. 
 
- કાર્યમાં સફળતા માટે ઘરની બહાર નીકળતી વખતે આ ઉપાય કરવો. તેના માટે તાંબાના વાસણમાં પાણી ભરી તેમાં ખાંડ ઉમેરી તેને ઓગાળો. ત્યારબાદ આ મીઠું પાણી પીને ઘરેથી નીકળવું.   તમે દહીંમાં ખાંડ ઉમેરીને ખાઈને પણ નીકળી શકો છો. 

- રાહુ ગ્રહનો દોષ દુર કરવા માટે પણ ખાંડ અસરકારક છે. તેના ઉપાય માટે લાલ કપડામાં ખાંડ બાંધી રાત્રે સૂતી વખતે તેને માથાની નીચે રાખવું.  
 
- પિતૃદોષ દુર કરવા માટે રોટલી બનાવો ત્યારે એક રોટલીમાં ખાંડ મિક્સ કરીને રોટલી બનાવો અને પછી આ રોટલી કાગડાને ખવડાવો. આમ કરવાથી પિતૃદોષ દુર થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news