Grah Gochar: જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાનો છે. બુધવાર અને 31 જુલાઈ એ જ્યોતિષશાસ્ત્રના બે મહત્વના ગ્રહની ચાલ બદલવાની છે. શાસ્ત્ર અનુસાર દેવગુરુ ગૃહસ્પતિ અને શુક્ર પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. ગુરુ અને શુક્રની ચાલ બદલશે તેના કારણે દરેક રાશિના જીવનમાં ઉતાર ચઢાવ આવશે. જો કે ત્રણ રાશી એવી છે જેમના માટે 31 જુલાઈ પછીનો સમય ફળદાયી રહેવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: માં લક્ષ્મીને અતિ પ્રિય છે આ રત્ન, ધારણ કર્યાની સાથે સર્જાવા લાગે છે ધનલાભના યોગ


31 જુલાઈ 2024 ના રોજ ધન, જ્ઞાન, સંતાન, ભક્તિનો કારક ગ્રહ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરશે. સાથે જ વૈભવ, વિલાસતા, સુખ અને ઐશ્વર્યનો કારક ગ્રહ શુક્ર રાશિ પરિવર્તન કરશે. 31 જુલાઈએ ગુરુ ગ્રહ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને શુક્ર કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં ગોચર કરશે. આ બંને ગ્રહના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનના કારણે ત્રણ રાશીના લોકોને વિશેષ ફાયદો થશે. 


આ પણ વાંચો: Roti Flour: રોટલીનો લોટ બાંધતી વખતે વાર અનુસાર તેમાં ઉમેરો આ વસ્તુઓ, કાર્યો થશે સફળ


વૃષભ રાશિ  


વૃષભ રાશિ માટે 31 જુલાઈ પછીનો સમય ફળદાયી સિદ્ધ થશે. ઓગસ્ટ મહિનો વેપારની દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ રહેશે. આ મહિનામાં ધાર્યા નહીં હોય એવા પરિણામ મળશે. કોઈ મોટી ડીલ થઈ શકે છે. સમાજમાં સન્માન વધશે. નોકરી કરતા લોકોની આવક વધશે. ધનની આવક વધશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે. 


આ પણ વાંચો: 2026 સુધી આ 5 રાશિઓ કરશે મોજ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થઈ જશે માલામાલ


સિંહ રાશિ


ગુરુ અને શુક્રની ચાલ બદલશે તેની સકારાત્મક અસર સિંહ રાશિના લોકોના જીવન પર જોવા મળશે. નોકરી કરતા લોકોને બોસ તરફથી સપોર્ટ મળશે સહકર્મચારીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળતો રહેશે. રોકાણ કરવાની બાબતમાં આ સમય સારો છે. અનુભવી વ્યક્તિની સલાહ લઈને શેર માર્કેટમાં રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. 


આ પણ વાંચો: શનિ દેવ બનાવશે દુર્લભ રાજયોગ, 3 રાશિના લોકો કરિયરમાં કરશે પ્રગતિ, વેપારીઓને થશે લાભ


ધન રાશિ 


શુક્ર અને ગુરુની ચાલીમાં પરિવર્તન ધન રાશિના લોકોને પણ લાભ કરાવશે. ઓફિસમાં બોસનો સાથ મળશે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. ઘર કે દુકાન લેવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. વેપાર સંબંધિત આવક અચાનક વધવાના યોગ છે. બિઝનેસનો વિસ્તાર થશે. અટકેલા કામ પૂરા થશે. પારિવારિક સુખ વધશે. સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)